તમે વાઈબ્રોનીક થેરેપી વિષે જાણો છો? નો એકસપાયરી ડેટ, નો સાઈડ ઈફેકટ
હોમીયોપેથી જેવી જ સારવાર એક પણ પૈસો લીધા વગર.
હોમીયોપેથી જેવી જ સારવાર પધ્ધતીથી દર્દીઓને રોગની પીડામાંથી મુક્તિ અપાવતા રાજકોટના મહિલા તબીબ, એ પણ એક પણ પૈસો લીધા વગર. નારી એ તો શક્તિ છે, અને એ બાબત તો સર્વવિદિત તેમજ ભારતીય પરંપરા રહી છે. મહિલા સશક્તિકરણ ની વાતો માત્ર ૮ માર્ચે જ કરવામાં આવે અને એ પછીના દિવસોમાં મહિલાઓ સેકન્ડ સેકસ બની જાય એ આજના સમયમાં બિલકુલ પ્રસ્તુત નથી જ એ પુરવાર કરી શકે તેવા અનેકાનેક દાખલાઓ આપણી આસપાસ મોજુદ છે, બીજે ક્યાય નજર દોડાવવા જવાની જરૂર નથી.ઈશ્વરએ આપણને ઘણું આપ્યું છે, માગ્યા વગર આપ્યું છે તો પછી શા માટે મારી પાસેની ઈશ્વરદત શક્તિઓ અને આવડતનો ઉપયોગ કરી ને સમાજ સેવા ન કરું? આવો જ વિચાર આજથી ૧૭ વરસ પહેલા રાજકોટ ના તબીબ મુમુક્ષા પુજારીને આવ્યો. સિવિલ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં લઈને આર્કીટેકટ તેમજ ઇન્ટીરીઅર ડીઝાઈનર તરીકે કામ કરતા કરતા જ જીવનના અત્યંત મહત્વના તબક્કે સ્પાર્ક થઇ ગયું હતું કે મારે કશુક એવું કરી જવું છે જે સમાજના હિત માં હોય.પિતાની આંગળી પકડીને ચાલતા શીખેલા મુમુક્ષાએ પિતાના જ પગલે આગળ વધવાનું નક્કી કરી લીધું અને આયુર્વેદ, હોમિયોપેથી તેમજ બાયોકેમિક વગેરે માં સારું એવું ખેડાન કરનારા પિતાએ જ મુમુક્ષા ને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી, જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવી આપ્યા. ત્યારથી આજ દિન સુધી માં દર્દીઓ પાસેથી એક પણ પૈસો લીધા વગર મુમુક્ષાએ સેવાનો ભેખ ધરી લીધો અને લોકો ના દર્દ પણ હરી લીધા.પ્રસિધ્ધિ અને માર્કેટિંગથી સાવ દુર રહેતા મુમુક્ષાએ અત્યાર સુધીમાં અસાધ્ય રોગોની પીડા પણ ઘટાડીને દર્દીઓ ને ખુશહાલ જીવન જીવતા કરી દીધા છે. ૧૭ વરસ પહેલા એકદમ નાનાપાયે શરૂઆત કરનારા મુમુક્ષાની ખ્યાતી માઉથ ટુ માઉથ એટલી પ્રસરી કે આજે આખા દેશમાં તેના ૬૦૦૦૦ થી ૭૦૦૦૦ પેશન્ટસ છે અને વિદેશમાં પણ તેની દવાઓ જાય છે.