શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જયપુર , સોમવાર, 30 જૂન 2014 (11:33 IST)

રમજાનનો મહિનો શરૂ, પ્રથમ રોજા આજ

. બરકતનો મહીનો રમજાન શરૂ થવાની સાથે જ રવિવારે શહેરની મસ્જીદો અકીદતમદથી અટી રહી. રવિવારે ઈશામાં તરાવીહની નમાજ થઈ. સહરીની તૈયારીઓ માટે લોકો રાતભર જાગતા રહ્યા. સોમવારે પ્રથમ રોજા રહેશે. ચાંદ રાતમાં ઘાટગેટ, રામગંજ બજાર, હસનપુરા સાંગાનીર જાલુપુરાના બજારોમાં લોકોએ સેવઈયા અને ખજૂર વગેરેની ખરીદારી કરી. મસ્જીદો આકર્ષક રોશનીથી જગમગાઈ ગઈ. જોહરી બજાર જામા મસ્જીદમાં મુફતી અમજદ અલીની કયાદતમાં તરાવીહ અદા કરવામાં આવી. કુરાન સારાંશ સંભળાવી. 
 
મોતી ડુંગરી રોડ સ્થિત કુરેશિયાના મસ્જિદ, રામગંજ સ્થિત રહમાનિયા મસ્જિદ ઘાટગેટ સ્થિત અંસારિયાન મસ્જિદ, મુસ્લિમ શાળા મસ્જિદ બધી મસ્જિદોમાં તરાવીહ થઈ.  રમજાનના આખો મહિનો દરમિયાન રોજેદાર રોજા રાખશે નએ મસ્જીદોમાં નમાજ અદા કરવામાં આવશે. જામા મસ્જિદના ઈંતજામિયા કમેટિના અધ્યક્ષ નઈમુદ્દીન કુરેશીએ જણાવ્યુ કે રમઝાનના મહિનામાં જીલ્લા સરકાર જળદાય વિભાગ નગર નિગમ અને અન્ય વિભાગોની તરફથી જામા મસ્જિદમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.