નોંધનીય છે કે ઇશરતનું એન્કાઉન્ટર 2004માં થયુ હતું અને આ મુદ્દે ગુજરાત પોલીસ તેમજ તે વખતનાં ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ સામે સવાલો ઊભા કરાયા હતાં. હેડલીના ઘટસ્ફોટ બાદ આ મુદ્દે ચાલતા રાજકારણ પર વિરામ લાગી શકે છે. ઇશરત સાથે એન્કાઉન્ટરમાં બે વધુ આતંકવાદીઓ પણ ઠાર કરાયા હતાં કે જેઓ મૂળ પાકિસ્તાનનાં હતાં.
આ પહેલા મુંબઈની અદાલતે હેડલીને માફી આપી દીધી અને 26/11નાં મુંબઈ હુમલાના કેસમાં તાજનો સાક્ષી બનાવ્યો હતો. આ ઘટનાક્રમ પાકિસ્તાનમાં હુમલા માટે રચાયેલા કાવતરાનું સત્ય સામે લાવવામાં સહાયક સાબિત થઈ શકે છે.