બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 ઑક્ટોબર 2015 (13:08 IST)

કાશ્મીરના હંદવાડામાં મુઠભેડ, 3 જવાન શહીદ

કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ અને સેના વચ્ચેની એક મુઠભેડમાં સેનાના ત્રણ જવાન શહીદ થઈ ગયા. જ્યારે કે કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાંથી એક અન્ય મુઠભેડમાં એક આતંકવાદીના માર્યા જવાના સમાચાર છે. જમ્મુ-કાશ્મીરના હંદવાડા ક્ષેત્રના લોલાબ વિસ્તારના જંગલોમાં થોડા દિવસ પહેલાથે જ આતંકવાદીઓ હાજર હોવાના સમાચાર મળ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજે સેનાને સમાચાર મળ્યા કે ઉત્તરી કાશ્મીરમાં આવેલ ગાઢ જંગલમાં કેટલક આતંકવાદીઓ ભારે પ્રમાણમાં હથિયાર સાથે છિપાયા છે. સૂચના મળતા જ તરત જ આતંકવાદીઓ અને સુરક્ષાબળ વચ્ચે  મુઠભેડ શરૂ થઈ ગઈ. આ ગોળીબારમાં સોમવારે સવારે એક આતંકવાદી માર્યા જવાના સમાચાર છે.  જ્યારે કે ત્રણ જવાન શહીદ થઈ ગયા.  
 
રવિવારે કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષાબળો સાથે થયેલ મુઠભેડમાં આતંકવાઈ સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી માર્યા ગયા હતા. જેમના પાકિસ્તાની હોવાની શંકા છે.  મુઠભેડમાં એક સૈનિક ઘાયલ થઈ ગયો હતો.