બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 21 નવેમ્બર 2014 (11:05 IST)

PM મોદીની પ્રસ્તાવિત યાત્રાના વિરોધમાં આજે કાશ્મીર બંધનુ એલાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત યાત્રાના વિરોધમાં હુર્રિયત કોંફ્રેંસે કાશ્મીરમાં આજે બંધનું આહ્વવાન કર્યુ .  ઉલ્લેખનીય છે કે જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ક્વીસલેંડ યુનિવર્સિટીમાં ભારતનો ખોટો નકશો રજુ કરવામાં આવ્યો.  આ સંમેલન એ સમયે જી-20 દેશોના બધા નેતાઓ હાજર હતા.  ઓસ્ટ્રેલિયામાં બતાવેલ આ નકશામાં ભારતથી કશ્મીરનો ભાગ ગાયબ હતો.  જેમા ઘણો વિવાદ ઉભો થયો. ઓસ્ટ્રેલિયા દ્વારા રજુ કરવામાં આવેલ નકશા પર ભારતે કડક વિરોધ બતાવ્યો.  વિવાદ વધતો જોઈ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી લીધી. 
 
શુક્રવારે યુનિવર્સિટીમાં આયોજીત એક પ્રેજેંટેશન દરમિયન બતાડવામાં આવેલ ભારતના નક્શામાં કાશ્મીરવાળો ભાગ ગાયબ હતો અને આ ભાગ પાકિસ્તાનમાં બતાડવામાં આવ્યો હતો. આ ભૂલ પર વિદેશ સચિવ સુજાતા સિંહે  કડક વિરોધ નોંધાવ્યો. આ ઘટનને લઈને વિદેશ મંત્રાલયના પ્રવકતા સૈયદ અકબરુદ્દીને કહ્યુ કે ભારતીય વિદેશ સચિવે આ મુદ્દો ઉઠાવ્યો. જ્યારબાદ આયોજકોએ તેમની પાસેથી તરત જ માફી માંગી લીધી. 
 
તેમને સવાલ કરવામાં આવ્યો એક આયોજકો તરફથી પ્રદર્શિત ભારતીય નકશામાં કાશ્મીરને ગાયબ થવાની વાત સામે આવ્યા પછી શુ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અકબરુદીને ટ્વીટ કર્યુ. હા તેને લઈને તત્કાલ કડક વિરોધ નોંધાવ્યો અને આયોજકો તરફથી શરત વગર ખેદ પ્રગટ કરાયો.