જમ્મુ: વૈષ્ણોદેવી જઈ રહેલ હેલીકૉપ્ટર કટરમાં ક્રૈશ, પાયલોટ સહિત 7ના મોત
જમ્મુના કટરામાં એક હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 7ના મોત થયા છે. આ હેલીકોપ્ટર વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓને લઈને જઈ રહ્યા હતા.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ હેલીકોપ્ટર કટરાથી સાંઝી છત જઈ રહ્યા હતા. આ હેલીકોપ્ટર ખાનગી કંપની હિમાલયન હેલી સર્વિસનુ હ અતુ. આ કંપચી ચાર ઘામ યાત્રા માટે હેલીકોપ્ટર સેવા પુરી પાડે છે.
સ્થાનીક મીડિયા મુજબ આ દુર્ઘટનાનુ કારણ ખરાબ વાતાવરણ હોઈ શકે છે. દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વેષ્ણોદેવીમાં હજારો શ્રદ્ધાળુ રોજ દર્શન માટે જાય છે. આ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. અગાઉ નવરાત્રિમાં એક લાખથી વધુ લોકો અહી દર્શન માટે પહોંચ્યા હતા.
અગાઉ પણ આવી દુર્ઘટનાઓ થઈ હતી
- 30 જાન્યુઆરી 2001ના રોજ સેના ચેતક હેલીકોપ્ટર સાંઝી છતમાં ક્રેશ થયુ હતુ
- 30 ડિસેમ્બર 2012ના રોજ કટરામાં થયેલ પવનહંસ હેલીકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર રમન સહગલ, બે પૈરા કમાંડો એક પાયલોટ અને કો પાયલોટ સહિત પાંચ લોકોનુ મોત થયુ હતુ.
- 1988 જુલાઈમાં પણ સાંઝી છતમાં એક હેલીકોપ્ટર ક્રૈશ થયુ હતુ. જેમા સવાર બધા લોકોનુ મૃત્યુ થયુ હતુ.