શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: હૈદરાબાદ , શનિવાર, 24 જાન્યુઆરી 2009 (19:07 IST)

અડવાણી, મોદી વિજય સંકલ્પમાં

પ્રધાનમંત્રી પદના ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિનાથી શરૂ થનાર વિજય સંકલ્પ યાત્રાની બીજા તબક્કામાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશ આવશે.

ભાજપના રાજ્ય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેયએ આજે પત્રકારોને કહ્યું હતું કે, અડવાણી 4થી ફેબ્રુઆરીએ વિજયવાડામાં સભાને સંબોધશે. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી 21મી ફેબ્રુઆરીએ કરીમનગરમાં જનસભાને સંબોઘશે.