મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (12:11 IST)

અમારી માતાનું કોઈ અપમાન કરશે તો મરી જઈશુ અથવા મારી નાખીશુ - સાક્ષી

ભારતીય જનતા પાર્ટી સાંસદ સાક્ષી મહારાજે તમે સપા નેતા આઝમ ખાન પર જોરદાર હુમલો બોલ્યો. ખાસ કરીને દાદરી મામલામાં સાક્ષી આઝમ પર વરસ્યા અને  પાકિસ્તાની એજંટ કરાર આપી દીધો. સાથે જ સાક્ષીએ કહ્યુ કે કોઈ અમારી માતાનુ અપમન કરશે તો મરી જઈશુ અથવા મારી નાખીશુ. 
 
સાક્ષીએ કહ્યુ કે આઝમ ખાન પાકિસ્તાન સાથે મળેલા છે. આઝમન પણ પાકિસ્તાનની જેમ અમારી ફરિયાદ યૂએનમાં ઉઠાવી રહ્યા છે. ક્યારેક તેઓ ભારત માતાને ડાકણ કહે છે તો ક્યારેક અમિત શાહને શૈતાન કહે છે. મને લાગે છે કે આઝમ મેંટલી બીમાર  વ્યક્તિ છે. તેમને આગ્રા કે રાંચીમા દાખલ કરાવી દેવા જોઈએ. 
 
સાક્ષીએ કહ્યુ કે જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી મુસલમાનને ફક્ત વોટ બેંક બનાવીને મુકી રાખ્યો છે. દાદરીમાં ભીડના હાથે માર્યા ગયેલા સાક્ષીએ કહ્યુ કે અખલાકના પરિવારને 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા મને કોઈ આપત્તિ નથી તમે 50 આપી દો. પણ ગયા વર્શે એક વડીલ મુસલમાનને અખિલેશની પોલીસે દંડાઓ મરી હત્યા કરી નાખી. તેઓ વક્ફ કૌભાંડ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમને કોઈ વળતર ન મળ્યુ.  માણસના બાળક હોત તો આઝમ ત્યા જતા. આ તેમની બેવડી નીતિ છે. 
 
તેમણે કહ્યુ કે અખલાકે અંતિમ ફોન પોતાના મિત્ર સિસોદિયાને કર્યો અને કહ્યુ કે મને બચાવવા દોડીને આવો ભાઈ. મારે ત્યા ગોમાંસ મુકેલુ છે. અમારી મા નુ કોઈ અપમાન કરશે તો અમે સહન નહી કરીએ.. મરી જઈશુ કે મારી નાખીશુ. સીમા પર પણ તો આવુ જ કરીએ છીએ ભારત મા માટે મરીએ છીએ મારીએ છીએ. 
 
બીજેપી સાંસદે કહ્યુ કે હુ કોઈપણ હત્યાનો સમર્થક નથી. પણ જો જનતા કાયદો હાથમાં લઈ લેશે તો સરકારનુ નકારાપન કહેવાશે. અમે કુરાન અને ઈસ્લામ વિશે કશુ પણ નથી કહી શકતા. કારણ કે તેમની આસ્થાનો પ્રશ્ન છે. એ જ રીતે ગાય- શ્રીરામ આ અમારી આસ્થાનો પ્રશ્ન છે.