ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

આસમમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ આંક 76 પર

અસમમાં ગુરૂવારે થયેલા સિરીયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો 76 સુધી પહોચ્યો છે. જોકે આ ધડાકાઓમાં ઘાયલ અને બળી ગયેલા 470 લોકોમાંથી કેટલાય લોકો જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.

દેશના પૂર્વોત્તર રાજ્યમાં ઘટેલી આ ઘટનાની જવાબદારી કોઈ પણ સંગઠને હજી સુધી સ્વિકારી નથી.

આ સિરીયલ બ્લાસ્ટ બાદ ગુહાટી અને તેના આસપાસના વિસ્તારો બંધ છે, સ્થાનિય લોકોમાં હજી ભય તોળાઈ રહ્યો છે.

મુખ્યમંત્રી તરૂણ કુમારે કહ્યુ કે આસમમાં બોમ્બબ્લાસ્ટ થવાં નવી વાત નથી. પણ અમે આતંકવાદી પ્રવૃતિને સંપૂર્ણ નાથવા પ્રયાસ કરી રહ્યા છીએ.