શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુવાહાટી : , બુધવાર, 16 એપ્રિલ 2014 (11:21 IST)

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 50થી વધુ લોકોને ઈજા

આસામમાં આજે સવારે બે વાગ્યાની આસપાસ મોરીગાંવ નજીકના અજુરી સ્ટેશન પર 15666 બીજી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 17 પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા છે. જેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર આપેલા છે. જે મુજબ દીમાપુરમાં 03862-228404, લુમદિંગમાં 03674-264848, 49, 50 અને ગુવાહાટીમાં 0361-2731621, 22, 23 છે.