ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 મે 2015 (10:41 IST)

કેજરીવાલ બોલ્યા, 'આપ' ને ખતમ કરવાની સોપારી લેવામાં આવી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે મીડિયાના ખૂબ મોટા ગ્રુપ દ્વારા આપને ખતમ કરવાનું ષડયંત્ર રચાયુ છે. જો કે તેમને મીડિયાના પબ્લિક ટ્રાયલનું સમર્થન કર્યુ છે.  પાર્ટી સાથે જોડાયેલ વિવાદો પર કરારો જવાબ આપતા તેમણે કહ્યુ કે ખૂબ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે.  તેમણે કહ્યુ, 'મીડિયાના ખૂબ મોટા ગ્રુપ દ્વારા આપને ખતમ કરવાની સોપારી લેવામાં આવી છે' 
 
સત્તારૂઢ આપની દિલ્હીના વિધિ મંત્રી જીતેન્દ્દ્ર સિંહ તોમરની ડિગ્રી અને જંતર મંતર પર પાર્ટી રેલી દરમિયાન એક ખેડૂતની બનાવટી આત્મહત્યાના મામલાને લઈને વિપક્ષી દળો દ્વારા આલોચના કરવામાં આવી રહી છે 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની રિપોર્ટમાં આપ કાર્યકર્તાઓ પર પાર્ટીની રેલીમાં ખેડૂત ગજેંર સિંહને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જેને કારણે આપ ને વિપક્ષના હુમલનઓ સામનો કરવો પડી રહ્યો છે. 
 
બીજી બાજુ તોમરને બરખાસ્ત કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. મુશ્કેલીમાં ઘેરાયેલ દિલ્હીની સત્તાધારી આપે જવાબી હુમલો કરતા કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે તે બદલો લેવા માટે પોલીસનો ઉપયોગ રાજનીતિક હથિયારના રૂપમાં કરી રહી છે. આપે આ સાથે જ તોમરનો એવુ કહેતા બચાવ કર્યો કે તેમના વિરુદ્ધ કોઈ તપાસ બાકી નથી.