ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 28 મે 2015 (16:08 IST)

નીતીશને છોડીને કોઈની સાથે પણ ગઠબંધન કરીશ

બિહારની રાજનીતિમાં એકવાર ફરીથી ગરમાગરમી જોવા મળી રહી છે અને તેનુ કારણ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોરચાના નામથી નવી પાર્ટી બનાવનારા જીતન રામ માંઝીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી. 
 
7 રેસકોર્સમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત પછી જીતન રામ માંઝીએ કહ્યુ છે કે નીતીશ કુમારથી જુદુ કોઈપણ ગઠબંધનની મદદ લઈ શકે છે અને જરૂર પડે તો આપી પણ શકે છે મતલબ જીતન રામ માંઝીએ પોતાના બધા પત્તા ખોલી રાખ્યા છે.