શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 27 ઑગસ્ટ 2014 (11:06 IST)

પુત્ર વિરુદ્ધ ફરિયાદથી નારાજ રાજનાથ, RSSને કરી ફરિયાદ

. બીજેપીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી રાજનાથ સિંહ આ વાતથી નારાજ છે કે પાર્ટીના જ કેટલક લોકો તેમના વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે અને અફવાઓ ઉડાવી રહ્યા છે. રાજનાથે આની ફરિયાદ આરએસએસને કરી છે. સૂત્રો મુજબ રાજનાથે કહ્યુ કે કેબિનેટન એક વરિષ્ઠ મંત્રી તેમના પુત્ર વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રીએ બોલાવીને ઠપકો આપ્યો હતો. 
 
રાજનાથ સિંહે આરએસએસને એ પણ બતાવ્યુ છે કે આવુ કશુ પણ થયુ નથી. સ્પષ્ટ છેકે પાર્ટીની અદર બધુ ઠીક નથી ચાલી રહ્યુ. રાજનીતિક ગલીયોમાં આ ચર્ચા ચાલી રહી હતી કે કેન્દ્રીય મંત્રીના સંબંધીએ  કોઈનુ કામ કરવાના બદલામાં પૈસા લીધા હતા. જ્યારબાદ પીએમ મોદીએ બોલાવીને તેમને ઠપકો આપ્યો હતો. સૂત્રોના હવાલાથી આ સમાચાર આવી રહ્યા છેકે આ વ્યક્તિ બીજુ કોઈ નહી પણ રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ છે. રાજનાથ સિંહ આ સમાચારથી ખૂબ જ નારાજ છે અને તેમને આ સમાચારને ખોટા બતાવ્યા છે. તેમણે કહ્યુ કે તેમના પુત્રને ક્યારેય કોઈ વાત માટે ઠપકો નથી આપવામાં આવ્યો.