શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 20 ડિસેમ્બર 2014 (11:55 IST)

બાળકોને પેદા કરવા મર્દાનગીની જરૂર પડે છે - આઝમ ખાન

હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેનારા ઉત્તર પ્રદેશના વરિષ્ઠ મંત્રી અને સપા નેતા આઝમ ખાને ગુરૂવારે લખનૌમાં અલ્પસંખ્યક અધિકાર દિવસના અવસર પર નામ લીધા વગર હિંદુ સંગઠનો પર નિશાન સાધ્યુ. આઝમે કહ્યુ કે પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા નથી થતા. બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂર હોય છે. 
 
બીજી બાજુ બીજેપીએ આઝમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે તેઓ દેશમાં ભાગલાની રાજનીતિને હવા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના આ નિવેદનોને ગંભીરતાથી ન લેવા જોઈએ.