શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 22 જુલાઈ 2014 (11:23 IST)

મને બધુ સહન કરવાની શક્તિ આપો બાપુ - કેજરીવાલ

. ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત પછી દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના ધારાસભ્યોની સાથે મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ પર પહોંચ્યા. કેજરીવાલના મુજબ તેમને રાજઘાટ જવાથી શક્તિ મળે છે. કેજરીવાલ જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેઓ રાજઘાટ પર જઈને સમય વીતાવવાનુ પસંદ કરે છે અને ત્યા જઈને તેમને શક્તિ પ્રાપ્ત થાય છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભાના પ્રચાર દરમિયાન દિલ્હીના રોહિણીમાં જ્યારે તેમણે એક ઓટો ડ્રાઈવરે થપ્પડ મારી હતી ત્યારે પણ તેમણે રાજઘાટમાં એકાંતમાં જઈને સમય વીતાવ્યો હતો. બીજી બાજુ એવા સમાચાર આવી રહ્યા છે કે કેજરીવાલના કૌશાંબી રહેવા માટે પરત ફરવાની શક્યતા છે. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી તેઓ ત્યાથી તિલક લેન સ્થિત સરકારી રહેઠાણ આવ્યા હતા.