મારા પતિ અને સાસુને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા - સોનિયા
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહના દાવા પર ગુરૂવારે પલટવાર કરતા સોનિયા ગાંધીએ કહ્યુ હુ જાતે પુસ્તક લખીશ અને ત્યારે દરેક વ્યક્તિ હકીકત જાણશે. હુ પુસ્તક લખવાને લઈને ગંભીર છુ અને હુ લખીશ. સોનિયા ગાંધીએ કહ્યુ આ પ્રકારના આરોપોથી હવે મને કોઈ તકલીફ થતી નથી. કારણ કે મે મારી સાસુની ગોળીઓથી વીંધાયેલ શરીર જોઈ ચુકી છુ. મારા પતિની લાશ જોઈ ચુકી છુ. હુ આ પ્રકારની વાતોથી દુખી થવાથી ઉપર ઉઠી ચુકી છુ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નટવરસિંહે આજે દાવો કર્યો હતો કે 2004માં સોનિયા ગાંધીએ પોતાના પુત્ર રાહુલ ગાંધીના વિરોધ પછી પીએમ બનવાની ના પાડી દીધી હતી. રાહુલે આવુ એ માટે કર્યુ કે તેને ભય હતો કે જો તે પદ સ્વીકાર કરી લેશે તો તેના પિતા અને દાદીની જેમ તેમની પણ હત્યા કરવામાં આવશે.