ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

માલ્યાની ટીપ્પણી દુર્ભાગ્ય - ગુજરાત

P.R

ગુજરાત સરકારે આજે પોતાને તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારની દારૂબંધી નીતિ અંગે દારૂ ઉત્પાદક વિજય માલ્યાની ટીપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. માલ્યાએ આજે કહ્યું હતું કે, ગુજરાતમાં એક દશકાથી લગાવેલી પાબંધી પુરી રીતે પોકળ છે.

ઉલ્લેખનિય છે કે, શહેરના વિભિન્ન વિસ્તારોમાં ઝેરી દારૂ પીવાથી 122 જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે. ગુજરાત સરકારના પ્રવક્તા અને સ્નાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે, દારૂના વેપારમાં રસ રાખનાર વ્યક્તિ દ્વારા દારૂબંધીને આ કરૂણાંતિકામાં જવાબદાર ઠેરવવામાં આવી રહી છે એ એકદમ એકતરફીભર્યું વલણ છે.

તેમણે કહ્યું કે, જે રાજ્યોમાં કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં શરાબ ઉપર પ્રતિબંધ નથી તો પણ આ રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી ઘણા બધાના મોત થાય છે.