સરદાર પટેલની સૌથી ઊચી પ્રતિમાના શિલાન્યાસ પર શુ બોલ્યા મોદી
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભવ્ય સ્મારણાંજલિ આપવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેમચ્યુલ ઓફ યુનીટી'નું સરદાર સરોવર બંધ પાસે નિર્માણ થશે. સરદારની જન્મ‘જયંતિ ૩૧મી ઓકટોબરના રોજ મુખ્યુ મંત્રી શ્રી નરેન્દ્રનભાઈ મોદીના હસ્તેા ‘‘સ્ટેચ્યુ્ ઓફ યુનીટી''ની શિલારોપણ વિધિ કરાશે. સરદાર સરોવર બંધથી ૩.૩ર કિ.મી.ના અંતરે સાધુબેટ પર તેનું નિર્માણ કરવામાં આવશે. આ સ્થીળ વૈશ્વિક પર્યટન સ્થિળ તરીકે ભરી આવશે સાથે સાથે તા. ૩૧મી ઓકટોબર, ર૦૧૩ના રોજથી આ પ્રતિમાના નિર્માણ માટે રાષ્ટ્રઆભરના ખેડૂતો પાસેથી ખેતીના જૂના ઓજારો એકત્રિત કરવા માટેના ખાસ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવશે.-
આપણે દેશને જોડવાનુ સપનુ લઈને ચાલી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ,. ભારત એક રિવાજ અનેક, સંસ્થા કે યોજના અનેક, મક્સદ એક તાલિયા અનેક, મુસ્કાન એક આ એકતાનો સંદેશ લેવા જઈ રહ્યા છીએ. -
ગુજરાતના ખેડૂતોના અવાજ, ગુજરાતના ગરીબોનો અવાજ દેશ સુધી પહોંચશે. તેઓ સાંભળે મારી વાત અને આ કામ પૂરુ કરે. તેઓ આવીને રિબન કાપે, હુ તેઓ કહેશે તો આવીશ નહી તો નહી આવુ. -
જ્યારે પીએમ આવ્યા ત્યારે લોકોએ બંધ અંગે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા. મને દુ:ખ સાથે એ કહેવુ પડે છે પીએમની એક ટીમ સાંભળે છે તેથી હું કહેવા માંગુ છુ કે સરદાર સરોવર પર ગેટ લગાવવાના બાકી છે. બાકી બધુ થઈ ચુક્યુ છે. મે અનેકવાર કહ્યુ કે ગેટ તો લગાવો આ લગાવવામાં અમને 3 વર્ષ લાગશે. મે દરેક વાર કહ્ય છુ તો એવુ જ કહે છે અરે હજુ સુધી નથી થયા.. અરે મને ગેટ ઉભા કરવાની તો અનુમતિ આપો. પણ કેન્દ્ર સરકાર સાંભળે છે ક્યા. હુ આજે ફરી અહીથી દેશના પીએમને આગ્રહ કરુ છુ, રાજસ્થાન અને ગુજરાતને પાણી જોઈએ છે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને વીજળી મળશે. મહારાષ્ટ્ર સરકારના 400 કરોડ બચચી જશે. મોદીને ક્રેડિત ન આપશો, ગુજરાતના ખેડૂતો માટે મારા અબોલ પ્રાણીઓ માટે આ કામ પુરૂ કરો આવા કામને અધૂરા ન છોડવા જોઈએ. -
કચ્છના લોકોએ મને ચાંદીથી તોલ્યા ત્યારે તેમણે કહ્યુ કે આ ચાંદી સરદાર પટેલની મૂર્તિ માટે અમે આ ચાંદી તેમા જોડવા માંગીએ છીએ. આજે એક સજ્જને એક કરોડ રૂપિયા આપવાનુ વચન આપ્યુ તેમાથી 50 લાખ તો આપી પણ દીધા. ધરતી ભલે ગુજરાતની હોય પણ આ સપનુ હિન્દુસ્તાનનું છે તેને પુરૂ કરવાનુ છે. -
આ દેશ ગામનો દેશ છે. સરદાર પટેલ ખેડૂત પુત્ર હતા. આવનારા દિવસોમાં ટેકનોલોજી અને આધુનિકતા સાથે આપણો ખેડૂત કેવી રીતે આગળ વધે. એવુ જ એક રિસર્ચ સેંટર, ગરીબ ખેડૂતો માટે જે તેમને આધુનિકતા સાથે જોડે એવુ સ્મારક અમે બનાવવા માંગીએ છીએ. આ કલ્પનાને હકીકતનું રૂપ બનવવા માટે 3 વર્ષ લાગી ગયા. કેટલાય એક્ષપર્ટો સાથે -
આ સરદાર સ્મારક દુનિયાભારમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અમે એવુ ઈચ્છીએ છીએ કે આ દુનિયાનું પ્રખ્યાત પર્યટન ધામ બને. દરેકને અહી જે જોઈએ એ મળશે. આ સ્મારક બનાવવા પાછળ અમે દેશના ભવિષ્યને અમે જોડ્યુ છે. -
ખેડૂતના ઘરમાં તલવાર હોય કે બંદૂક હોય પણ એ સૌથી વધુએ પોતાના ખેતીના હથિયારોને પ્રેમ કરે છે. કારણ કે તે તેની રોજી રોટી છે. સરદાર પટેલ ખેડૂત હતા તેઓ લોહ પુરૂષ હતા તેથી લોખંડથી લોકોને જોડવાના છે. ગામના દરેક ખૂણેથી, ખેડૂતોએ જે પોતાના હથિયારમાં જે લોખંડનો ટુકડાનો ઉપયોગ કર્યો છે. તે લોખંડ જોઈએ. આખા ગામમાંથી મને લોખંડ જોઈએ. કોઈ કહે કે મોદી અમારા ગામમાં તોપ છે લઈ જાવ તેનાથી આખી મૂર્તિ બની જશે. મને એ લોખંડ નથી જોઈતુ. મને તો એ લોખંડ જોઈએ જેનાથી મારા ખેડૂત ભાઈઓ રોજી રોટી કમાવે છે અમે તેને ઓગાળીશુ તેમાંથી અર્ક કાઢીશુ અને તેમાથી મૂર્તિ બનાવીશુ તેથી દરેક કહી શકે કે આ મૂર્તિમાં મારુ ગામ પણ છે. -
ભાઈઓ અને બહેનો આ મૂર્તિ માટે અમે દુનિયા ભરના એક્ષપર્ટોને લગાવવીએ દઈશુ, મૂર્તિ એવી બનશે જે સદીઓ સુધી સલામત રહેશે. આ કામને અમે હિદ્નુસ્તાને એકતા સાથે જોડૅવા માંગીએ છી. તેથી તિજોરીમાંથી રૂપિયા કાઢીને આ મૂરિત બને તેવુ અમે નથે ઈએચ્છતા અમે તો ગામ ગામને જોડવાનુ કામ કરવા માંગીએ છીએ. કારણ કે સરદારે સૌને જોડવાનુ કામ કર્યુ હતુ. -
કોઈ સમાજ પોતાના ઈતિહાસને ભૂલીને, પોતાના ઈતિહાસની હકીકતથી પાછળ રહી જાય છે એ મૂળ વગરના વૃક્ષ જેવો છે. જેમ વૃક્ષ સુકાય જાય છે તેમ ઈતિહાસ વગરનો વ્યક્તિ પણ્ સુકાય જાય છે. આપણને ઈતિહાસનુ જ્ઞાન હોવુ જોઈએ. ઈતિહાસને ભૂલાવી દેનારી પ્રણાલે ન હોવી જોઈએ. -
અમે મહાત્માગાંધીનુ એક મંદિર બનાવ્યુ ત્યારે કોઈએ એવુ ન કયુ કે તમે તો બીજેપીવાળા છો ગાંધીજી તો બીજેપીવાળા નહોતા. આ પહેલા ક્યારેય સરકારની કોઈ જાહેરાતમાં સરદારની મૂર્તિ જોવા નહોતી મળતી પણ આજે દરેકને સરદારની જાહેરાત આપવા મજબૂર થવુ પડ્યુ છે આ ગુજરાતના ગૌરવની વાત છે. -
સરદાર સાહેબ લોહ પુરૂષ હતા. નવી પેઢી કેવી રીતે જાણશે. અમે સરદારનુ સ્મારક બનાવ્યા ઉપરાંત હિન્દુસ્તાનના ખૂણે ખૂણે એકતાનો મંત્ર પહોંચાડવા માંગીએ છીએ. આપ્ણે જાણીએ છીએ કે ભારતની પ્રગતિ શાંતિ એકતા અને સદ્દભાવના વગર શક્ય નથી. માતાના દૂધમાં ક્યારેય દરાર નથી હોઈ શકતી. ઉંચનીચના, જાતિવાદના ઝગડા આ બધી વાતો દેશને તબાહ કરી દીધો છે. આ બધી વાતોથી કોઈ નેતાનુ ભલુ થયુ હશે પણ ભારતનુ ગૌરવ ક્ષીણ થઈ ગયુ. જો ભારતનુ ગૌરવ પરત સ્થાપિત કરવુ હોય તો આપણે દરેક દેશના લોકોને પ્રેમથી જોડવા પડશે. તેથી સરદાર પટેલની અવાજ જેને દબાવી મુકાઈ હતી તેમનો અવાજ બુલંદ કરવા માટે એક થવાનુ છે. -
કેટલાક લોકોનું માનવુ છે કે કેમ આટલુ મોટુ સ્મારક, બાબા સાહેબ આંબેડકર, તેમના અનેક સ્મારક છે. પણ માનવુ પડશે કે દલિત પીડિત લોકો માટે ભગવાનનુ રૂપ હતા. તેથી દલિતોને આંબેડકર તરફથી પ્રેરણા મળે છે. તેમનુ જીવન આપણે પ્રેરણા આપે છે. તેમનો સંઘર્ષ આપણને સામર્થ્ય આપે છે. આપણે વિરાસતને વહેંચવાની નથી. આ સૌની વિરાસત છે તેનુ દરેકને ગૌરવ હોય છે. આપણુ દિલ દેશના દરેક મહાપુરૂષ માટે હોવુ જોઈએ. -
સરદાર પટેલે બધાને જોડવાની વાત કરી છે કોઈને તોડ્યા નથી તેમણે જે સેક્યુલેઝમ અપનાવ્યુ તેનો આપણે ઉપયોગ કરીને દેશને આગળ વધારીએ. -
પીએમની એકવાતનુ ગૌરવ કરુ છુ આદર કરુ છુ, પીએમ સાહેબને હુ બે દિવસ પહેલા જ મળ્યો હતો. તેઓ કહે છે કે દેશને સરદાર સાહેબવાળુ સેકુલરિજ્મ જોઈએ. વોટ બેંક વાળુ નહી. તેથી પ્રધાનમંત્રીજી સરદાર સાહેબવાળુ સેકુલરિજ્મ જોઈએ આ દેશને. -
ચાણક્ય પછી જો આ દેશનુ સન્માન વધારવાનો પ્રયાસ કોણે કર્યો હોય તો એ છે સરદાર પટેલ, આપણે મહારાણા પ્રતાપનુ સન્માન કરીશુ કે નહી, આપણે ભગતસિહ,રાજગુરૂ, સુખદેવનું સન્માન કરીશુ કે નહી. શુ તેઓ બીજેપીના સભ્યો હતા ? શુ માત્ર ભાજપાનું જ સન્માન કરીશુ. દેશ માટે જે કંઈક કરે છે જે દેશ માટે જીવે છે મરે છે તે આપણું ગૌરવ હોય છે. તેથી સરદાર પટેલને કોઈ દળ સાથે જોડવા તેમની સાથે બહુ મોટો અન્યાય હશે. તેમના જીવનની ઊંચાઈ ભારતના ગૌરવગાન સાથે જોડાયેલુ છે. આપણી વિરાસતો તો સહભાગી હોય છે. દેશ આઝાદી પછી ગાંધીજી તો છૂત-અછૂત સાથે જીવનભર લડૅતા રહ્યા પણ આપણે દેશમાં જે રાજનીતિક છૂઆ છૂત ઉદ્દભવી છે તેને મિટાવવાની છે. -
અનેક ક્રિયા પ્રકિયાઓ હોય છે અને તે જરૂરી હોય છે. આજે ભાઈઓ બહેનો આ સરદાર પટેલનુ સ્મારક ફક્ત સરદાર સરોવર ડેમ બન્યુ, તેમનુ સપનુ પુરૂ થયુ તેઓ ગુજરાતના હતા એટલા સીમિત હેતુ માટે નથી. મિત્રો સપનું ખૂબ મોટુછે. આ ભવ્ય સ્મારક, તેની ઊંચાઈને કારણે દુનિયાને ભારત તરફ જોવા મજબૂર કરશે. અંગ્રેજોની કૂટનીતિનો પર્દાફાશ, ભારતની ઊંચાઈ દુનિયા સામે રજૂ કરીશુ. -
અમેરિકાને પણ ચાંદ પર જવાનુ સપનુ જોયુ અને લાખો રૂપિયા ખર્ચીને એ સપનું પુરૂ કર્યુ અને લોકો સામે પોતાના દેશનુ ગૌરવ વધાર્યુ. -
ચાઈનાને કોણ જોતુ હતુ, પણ સમુરાઈ બનાવ્યા બાદ લોકોની ચાઈના પ્રત્યેની દ્રષ્ટિ બદલાય ગઈ. આજે નવુ ચાઈના જે રચાયુ છે એ શાંધાઈને કારણે રચાયુ છે. દુનિયાનુ ધ્યાન ગયુ -
મિત્રો વિશ્વમાં હિન્દુસ્તાન પ્રત્યે હિનભાવના જોવાની પ્રવૃત્તિ થઈ ગઈ છે. વાજપેયીજીએ શાસનમાં આવ્યા બાદ ન્યુકિલિયર રજૂ કર્યો અને દુનિયાને જાણ થઈ કે આ દેશ પોતાનુ માથુ ઉંચુ કરીને ઉભો થઈ શકે છે. મિત્રો દુનિયાની અંદર આપણા દેશનો કોઈ નાગરિક કેમ ન હોય, આપણા દેશની કોઈ પરંપરા કેમ ન હોય. દુનિયામાં દરેક દેશને -
આપણી અંદર આટલી બધી કાબેલિયત હોવા છતા આપણી બધી શક્તિ પાણી પાછળ લાગી છે. સરદાર સરોવરનો શિલાન્યાસ જવાહરલાલ નેહરુએ કર્યો તેનાથી વધુ ડબલ ખર્ચ આજે આ સરકારે કર્યો, કારણ કે અમારુ એક જ સપનુ હતુ કે દરેકને પાણી મળે. આ સપનું સરદાર પટેલનુ હતુ તેમના જ સપના પર કામ થઈ રહ્યુ છે અને તેમના જ સપનાને સાકાર થવાની પ્રક્રિયા ચાલી રહી છે. -
આદિવાસીઓ વિસ્તારના દરેક લોકોને પાણી મળશે, દરેકને નર્મદાના પાણીનો લાભ મળે , સિંચાઈનો લાભ મળે એ માટે પ્રયાસ ચાલુ છે. આ સરદારનું સપનુ હતુ તેથી નર્મદા નથી પર સરદાર સરોવર બાંધ બન્યો છે. આ પાણી ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. -
હુ સર્વનો આભાર છુ, આજે દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ બધાના સાથ વગર શક્ય નહોતુ. હુ દરેકનો આભારી છુ. જેમની મદદથી આજે આ કાર્યક્રમ, આ સપનુ હકીકત બનવા જઈ રહ્યુ છે.