શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (22:23 IST)

હું પ્રજ્ઞાને નથી ઓળખતો:અડવાણી

માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પૂર્વ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો હાથ હોવાના આરોપ હતાં. પ્રધાનમંત્રી પદ માટેના ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ સાધ્વીને ઓળખવાનું જ નકારી કાઢ્યુ હતું, અને કહ્યુ હતું કે સરકાર પાસે તેના વિરૂદ્ધ પુરાવા હોય તો દંડ કરે.

ગઈકાલે ભાજપાના અધ્યક્ષ રાજનાથ સિંહે પણ કહ્યુ હતુ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડાયેલ વ્યક્તિ આતંકવાદી હોઈ જ ન શકે.

અડવાણીએ સંપ્રગ સરકાર તેના કાર્યકાળમાં આતંકવાદી પ્રવૃત્તિને રોકી શકવા અસમર્થ રહી છે. તેમજ તે ઘુષણખોરોને આસરો આપે છે, તેમજ અફઝલને ફાંસી આપી ન શકનાર સરકાર લોક સુરક્ષા શું કરી શકવાની? જેવા પ્રહારો સરકાર પર કર્યા હતાં.