શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (20:47 IST)

નેનો માટે જમીન સંપાદન કરાઇ નથી

ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ ટાટાના નેનો કાર પ્રોજેકટ માટે જમીન સંપાદન કરવામાં આવેલ નથી તેમ મહેસુલ મંત્રીએ આજે વિધાનસભામાં લેખિતમાં જણાવ્યું છે.

આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કાગ્રેસના ગ્યાસુદ્દીન શેખ દ્વારા નેનો કાર પ્રોજેકટ માટે જમીન સંપાદન કરવા અંગેના વધુ લેખિત પ્રશ્નોમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું છે કે, કલમ-4નું જાહેરનામું બહાર પાડ્યા બાદ જાહેરનામાની કાયદેસરની પ્રસિદ્ધિની તારીખથી 30 દિવસની મુદત આપવામાં આવે છે. જે જાહેરનામું જમીન સંપાદન કાયદા અન્વયે બહાર પાડવામાં આવે છે. એટલે નેનો કાર પ્રોજેકટ માટે જમીન સંપાદન કરવામાં આવેલ નથી.