શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજકોટ. , સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (16:10 IST)

હું કોંગ્રેસમાં જોડાવાનો નથી - રાંદડિયા

ભાજપના પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠ્લ રાંદડિયાએ શનિવારે પોતાના વિશે ફેલાતી ખોટી અફવા અંગે પોલીસને ફરિયાદ આપી છે.  છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં વિઠ્ઠલ રાદડિયા ભાજપ છોડી ફરી પાછા કોંગ્રેસમાં જોડાય છે તેવા મેસેજ વહેતા તહ્યા હતા. આ સંદેશાઓ પછી રાંદદિયાની ભાજપ છોડવાની અફવા ઉગ્ર બની હતી. 
 
જો કે હવે વિઠ્ઠલ રાંદડિયાએ પોતાના વિરુદ્ધ ફેલાતા આ સંદેશાને રદિયો અપાતા જણાવ્યુ હતુ કે હું ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવવાનો નથી. મારા વિરુદ્ધ કોઈ ઈરાદાપૂર્વક મેસેજ ફેલાવી રહ્યુ છે. મે આ સંદેશાઓ જોયા છે અને તે વાંચી મને ખૂબ દુખ થયુ છે કે કોઈ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.