બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (15:47 IST)

જુનાગઢમાં અકસ્માત

જૂનાગઢ: જૂનાગઢના વિસાવદર પાસે લગ્નમાં જાનૈયાથી ભરેલી મિની ટ્રક ઝાડ સાથે અથડાતા ગમખ્વાક અકસ્માત નડ્યો હતો. જેના કારણે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનો ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા, અને 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત પ્રમાણે, જૂનાગઢના વિસાવદર પાસે આવેલા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી જાનૈયા ભરેલી મિની ટ્રક જઈ રહી હતી. ત્યાં રસ્તામાં પ્રસંગને કાળ ભરખતા મિની ટ્રક એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ઘટના સ્થળે 2 લોકોના મોત નિપજ્યાં હતા, અને 5 લોકોની હાલત ગંભીર હોવાના કારણે તેમને સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. લગ્ન પ્રસંગ માતમમાં
ફેરવાઈ ગયો હતો.