મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :ગાંધીનગર , ગુરુવાર, 20 નવેમ્બર 2014 (11:31 IST)

જાણો આનંદીબેનના નવા મંત્રીમંડળમાં કોને કયુ ખાતું ફાળવવામાં આવ્યુ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં નવા નિયુક્ત થયેલા ચાર મંત્રીઓને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આજે રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં હોદો અને  ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ગણપતિસિંહ વસવાની ઉપસ્થિતિમાં રાજયપાલે કેબિનેટ મંત્રી તરીકે મંગુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોત્તમભાઈ સોલંકી અને જશભાઈ બારડને શપથ લેવડાવ્યા હતા. 
 
રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓને વિભાગોને ફાળવણી 
 
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી. મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે.