શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (14:50 IST)

ખેરાલુના ગુરૂનાનકના મંદિરમાં ઘુસી પાગલ મહિલાએ પવિત્ર ગ્રંથ ફાડ્યા

ખેરાલુમાં ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે તેવો એક બનાવ બન્યો હતો. આ બનાવની વિગત પ્રમાણે ખેરાલુ શહેરના  ખારીકુવી વિસ્તારમાં આવેલી સીન્ધી સોસાયટીમાં શુક્રવારે એક પાગલ મહિલાએ ભારે તોફાન મચાવ્યુ હતું. દર્શન કરવાના બહાને સોસાયટીમાં આવેલા ભગવાન ગુરૂ નાનકના મંદિરમાં ઘુસેલી આ મહિલાએ ગાદી પર પૂજા માટે મુકેલા ગુરૂના પવિત્ર ગ્રંથ ફાડી પૂજાનો સામાન વેરવિખેર કરી નાંખતાં સોસાયટીના રહીશોએ તેને ચોર સમજી મંદિરમાં જ બંધ કરી દીધી હતી અને પોલીસને જાણ કરી હતી. જોકે એક કલાક સુધી પોલીસ નહીં પહોંચતાં ઘટના સ્થળે લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતાં. બાદમાં પોલીસે મોડે મોડે પણ પહોંચતાં મામલો શાંત કર્યો હતો. એક બાજુ પોલીસ લોકોને પોતાના મિત્ર હોવા માટે લોકદરબારનું આયોજન કરે છે તો બીજી બાજુ લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને ધ્યાને લેતી નથી. ત્યારે લોકોનું કહેવું છે કે પોલીસ માત્ર લોકદરબારના નાટકો યોજીને શહેરી લોકોને સુરક્ષાના વાયદા આપે છે પણ ખરેખર પોલીસ કોનું રક્ષણ કરી રહી છે તે એક મોટો સવાલ છે.