શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : બુધવાર, 17 ડિસેમ્બર 2014 (14:34 IST)

જંગલી ભૂંડો અન નીલ ગાયના ઉપદ્રવથી ખેડૂતોને મોટો ફટકો

વડોદરા નજીકના દેણા, વિટોદ તેમજ જરોદ સુધીના ગામોમાં નીલગાય, ભૂંડો જેવા જાનવરોના ઉપદ્રવને કારણે ખેડૂતોને મોટો ફટકો પડયો છે. થોડા સમય પહેલા પૂરના પાણીને કારણે નુકશાન વેઠયા બાદ ખેડૂતોની લાંબા સમયથી ભેલાણ અંગે ઉઠતી બૂમોની કોઇ દરકાર નહી લેવાતા તેમને ફરી એક વાર મોટો ફટકો પડયો છે. એક અંદાજ મુજબ એક હજારથી વધુ ખેડૂતોને નુકશાન થયું છે.

વડોદરા નજીક હરણીથી આગળ આવેલા દેણા, વિરોદ, સુખલીપુરા, કોટાલી, કલ્યાણપુરા, પિલોલ સહિતના ગામોમાં ચોમાસાના પૂરને કારણે ફટકો પડતા ખેડૂતોને હજી કળવળી નથી. ઘણા ખેડૂતો હજી વળતર માટે પણ વળતર માટે વલખા મારી રહ્યા છે તેવા સમયે ઉપરોક્ત ગામો અને જરોદ સુધીના આસપાસના ગામોમાં રાત પડતા જ જંગલી ભૂંડો અન નીલ ગાયના ધાડા નીકળી પડે છે. તેમજ એક જ રાતમાં આખુ ખેતર ભેલાણ કરીને અદ્રશ્ય થઇ જતા હોઇ ખેડૂતોને ફરી એક વાર મોટુ નુકસાન જોવા જ મળતો નથી.આ અંગે વહીવટી તંત્ર પણ તેમની મદદે આવતુ નથી. ખેડૂતોએ સયાજી પુરાના જિલ્લા પંચાયતના રાત્રે ચોકી પહેરો પણ કેવી રીતે ભરે. જંગલી જાનવરોના ધાડા એટલી ઝડપથી ભેલાણ કરી જાય છે કે ઘણીવારતો રાત્રે લહેરાતો પાક સવારે વેઠવાનો વખત આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આવી કડકડતી ઠંડીમાં તેઓ કોંગ્રેસના સભ્ય સમક્ષ રજૂઆત કરતા તેમણે જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી વિભાગ સમક્ષ વળતર આપવા માંગણી કરી છે.