બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:57 IST)

નવરાત્રી મહોત્સવમાં મુસ્લિમોને પ્રવેશબંધી કરવાની હાકલ

વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અમરેલીમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બેઠક યોજી આગામી નવરાત્રી મહોત્સવમાં મુસ્લિમોને પ્રવેશબંધી કરવાની હાકલ કરતા ભારે ચકચાર જાગી હતી.

અમરેલીમાં વિહિપની એક બેઠકમાં ગર્જના કરતા જણાવ્યું હતું કે લવ જેહાદ મુદ્દે હિન્દુઓની દીકરીઓને ભોળવીને મુસ્લિમ યુવકો દ્વારા જે હિન પ્રયાસ કરવામાં આવે છે તેની સામે આકરું વલણ અપનાવી મુસ્લિમોને નવરાત્રી મહોત્સવમાં આયોજકોએ પ્રવેશબંધી લાદી દેવી જોઇએ તેમજ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરને મદદ કરવા સામે પણ તેમણે આશ્ર્વર્ય વ્યકત કર્યું હતું.