ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

શિક્ષણ મંત્રી અને ગુરૂવાર....

P.R

રાજયના શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ શિક્ષણમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં તમામ પરિણામ ગુરુવારે જ જાહેર કર્યા છે.
ધો.12ના બંને પરિણામ અને ગુજકેટનું પરિણામ પણ ગુરુવારે જ જાહેર કર્યું છે.

આ ઊપરાંત ધો.10નું પરિણામ પણ આગામી ચોથી જૂનના રોજ ગુરુવારના રોજ પરિણામ જાહેર થશે. આધારભૂત સુત્રોના દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજયના શિક્ષણમંત્રી ‘‘સાંઈબાબા’’માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને સાંઈબાબાનો વાર ગુરુવાર મનાય છે.

સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર શિક્ષણમંત્રી રમણલાલ વોરા તમામ પરિણામ ગુરુવારે જ જાહેર કરે છે. એટલું જ નહીં શિક્ષણમંત્રી વોરા દરેક નવા કામની શરૂઆત ગુરુવારે જ કરે છે. તેમણે શિક્ષણમંત્રી તરીકેનો હવાલો પણ ગુરુવારે જ સ્વીકાર્યો હતો.