ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , ગુરુવાર, 21 જુલાઈ 2016 (11:57 IST)

સરકારના અન્યાયની વિરુદ્ધ સામે દરેક સમાજ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી

જય ભારત સાથે જણાવવાનું પાટીદાર સમાજ અને દલિત સમાજ પર જે અત્યાચાર મુદ્દે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા અમદાવાદ કલેક્ટર શ્રી ને રજુવાત કરવામાં આવતા જણાવ્યું કે પાટીદાર સમાજ અને દલિત સમાજપર જે અત્યાચાર ગુજરાતમાં આવેલ છે તે તદ્દન આયોગ્ય  છે તેમજ કાયદાના વિરોધમાં જઈ જેને પણ આપણા ભારતના ન્યાયવ્યવસ્થાનું અપમાન કરતા કાયદાને પોતાના હાથમાં લીધેલ છે તેઓની સામે કડકમાં કડક પગલાં લઈ પાટીદાર સમાજ તથા દલિત સમાજના યુવકોં પર જે અત્યાચાર ગુજારેલ છે તેઓને યોગ્ય ન્યાય અપાવવા માટે અમે પાટીદાર સમાજ અને દલિત સમર્થન આપીએ છીએ.

             ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિગર કુમાર કોઠિયા અને ગુજરાત રાજ્યની મીડિયા ચીફ દિલીપભાઈ પટેલને જણાવ્યું કે ,આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા અનેક જિલ્લામાં આવેદન આપવામાં આવ્યા છે અને આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા અમદાવાદમાં પૂર્વ ગુજરાત યુવા સહમંત્રી શ્રી ચિરાગ પટેલ, જિલ્લા યુવાપ્રમુખ શ્રી સચીનભાઈ દરજી, અમદાવાદ શહેર પ્રમુખ સંદીપભાઈ અધારા અને ભારત કાલરીયા દ્વારા અન્ય કાર્યકર્તા સાથે આવેદન આપતા અત્યાચારની સ્થીતીને ધ્યાનમાં રાખી ગુજરાતની તમામ જનતાને શાંતિ જાણવવા તેમજ કાયદો વ્યવસ્થા જાણવી કાયદાનું પાલન કરવામાટે અપીલ કરી છે.