શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

સ્વાઈન ફ્લૂ સામે સાવચેતી જરૂરી...

N.D
મેક્સિકોમાં સ્વાઈન ફ્લૂ ફેલાવાના સમાચાર આવતા સુધીમાં તો અમેરિકા બ્રિટન સહિત લગભગ બધા દેશોમાં આ રોગનુ સંક્રમણ ઝડપથી ફેલાવા માંડ્યું છે. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું અને આ રોગ વધુ ન પ્રસરે તે માટે પગલા ભરવાના શરૂ કરી દેવામાં આવ્યાં તેમ છતાં પણ આ રોગનો ફેલાવો ભારત સુધી પહોંચી ગયો. જેના પરિણામસ્વરૂપ આરોગ્ય તંત્રને આ રોગને મહારોગ જાહેર કરવો પડ્યો. ખેર સરકાર તો બનતા પ્રયત્નો કરી જ રહી છે પરંતુ આ રોગ સામે લડવા માટે નાગરિકોએ પણ જાગૃતતા કેળવવી પડશે.

શુ છે સ્વાઈન ફ્લૂ ? - ભૂંડમાં મુખ્ય રીતે એ એનફ્લ્યુએંજા વિષાણુનુ સંક્રમણ થવાને કારણે સ્વાઈન ફ્લૂ થાય છે. આ રોગનો સંબંધ મુખ્યત્વે શ્વસન પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાથી તેને 'શ્વાસ રોગ' પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે આ રોગના વિષાણુ મનુષ્ય પર પ્રભાવ પાડી શકતા નથી એવી ધારણા હતી. પરંતુ થોડા કેટલાક વર્ષોમાં સામે આવેલ કેસમાં આ રોગના વિષાણુ મનુષ્યને પણ અસર કરવા લાગ્યા છે. આ રોગનો ફેલાવો મુખ્યત્વે ભૂંડને ઉછેરનારા અને તેનુ માંસ ખાનારાઓ દ્રારા ફેલાય છે

ઝડપથી ફેલાનારા આ રોગના લક્ષણો સર્વસામાન્ય ફ્લૂ જેવા જ હોય છે. છીંકો, ઉધરસ, સંક્રમિત વસ્તુઓને સાર્વજનિક વપરાતા અને શ્વાસના રોગીઓ દ્વારા ઝડપથી ફેલાય શકે છે. આ રોગની ઓળખ સૌ પ્રથમ 1976માં થઈ હતી.

શુ હોઈ શકે આ રોગના લક્ષણો
સામાન્ય રીતે માનવ ફ્લૂ જેવા જ લક્ષણો આ રોગના પણ હોય છે. તાવ આવવો, ઉધરસ આવવી, ગળામાં ખરાશ પડવી, શરીરનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, પેટમાં દુ:ખાવા સાથે ઉલટીઓ થવી વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.

આ રોગથી બચવાના ઉપાયો
આ રોગ થાય નહી એ માટે નાક અને મોઢાને માસ્ક વડે ઢાંકી રાખવુ, ઉત્તમ સાર્વજનિક સ્વચ્છતા માટે સાર્વજનિક નળ, ગાડીનો દરવાજો, સાઈબર કેફેમાં માઉસ અથવા કી-બોર્ડને વાપર્યા પછી હાથ સાબુથી ધોઈ સ્વચ્છ કરવા. જો આ પ્રકારના રોગનો કોઈ દર્દી જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લઈને ઘરે જ આરામ કરાવવો યોગ્ય ગણાશે.

સ્વાઈન ફ્લૂ ચેપીરોગ છે કે નહી એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ ન થયુ હોવા છતા સામાન્ય ફ્લૂની જેમ જ આ રોગ ફેલાતો હોવાને કારણે તેને ચેપી રોગ કહે છે.

N.D
સ્વાઈન ફ્લૂનો ઉપાય છે ખરો ?
આ રોગનો ઉપાય છે. આવા લક્ષણો દેખાય કે Tamiflu અથવા Relenza જેવી દવાઓ લેવી. આ દવા લેતા પહેલા આ દવાની એક્સપાયરી ડેટ (expiry date) અવશ્ય જોઈ લેવી. આ રોગથી બચવાના આશયથી કદી આ રોગ થતા પહેલા આ દવા લેવી જોઈએ નહી. આ રોગથી બચવા માટે આર્યુવેદમાં બતાવ્યા મુજબ તુલસીના પાન અથવા તુલસીના માંજરની ચા પીવાથી આ રોગનુ સંક્રમણ થવાની શક્યતા ઓછી રહે છે.