ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ દેવતા
Written By
Last Modified: શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (17:25 IST)

દિવસ મુજબ કરો આ મંત્રોના જાપ

દરેક દિવસ મુજબ એના દેવી દેવતાઓના મંત્ર 9 વાર જાપ કરવાના ઘણા ફાયદા હોય છે. ભગવાનના નામના જાપ એ દીવાના જેમ હોય છે જે વગર પ્રગટાવે પણ પ્રગટી જાય છે જાણો એ દિવસના કયાં મંત્ર કરવાથી લાભ થાય છે. 
 
રવિવાર- રવિવારે માં દુર્ગા અને સૂર્યદેવના દિવસ ઉજવાય છે. આ દિવસે માતા દુર્ગાના મંત્ર ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરવાથી લાભ થાય છે જાણો કયાં દિવસે કયા મંત્રના જાપ કરવાથી લાભ થાય છે. 
 
સોમવાર- સોમવારના દિવસે ભગવાન શિવના દિવસ છે કહે છે કે સોમવાર ના દિવસ ॥ ૐ નમ: શિવાય ॥ મંત્રના જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
 
મંગળવાર - મંગળવારના દિવસે હનુમાનના દિવસ હોય છે આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા  અને ॐ હનુમંતેય નમ: ના જાપ કરવાથી લાભ થાય છે અને આંતરિક શક્તિના સંચાર થાય છે. 
 
બુધવાર- બુધવારે ભગવાન ગણેશ  દિવસ હોય છે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા  અને મંત્રોના જાપ કરવાથી શુભ રહે છે. તમે ૐ શ્રી ગણેશાય નમઃ  ના જાપ કરી શકો છો. આ મંત્રના જાપ કરવાથી જીવનમાં સફળતા મળે છે. 
 
ગુરૂવાર- ગુરૂવારના દિવસ વિષ્ણુ ભગવાન સાંઈ બાબા અને બૃહસ્પતિના નામ હોય છે અને આ દિવસે ॐ નમો નારાયણા' ના જાપ કરી શકો છો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે. 
 
શુક્રવાર- શુક્રવારના દિવસે માતા દુર્ગાના દિવસ છે આ દિવસે માતા દુર્ગાની પૂજા કરવાથી અને  મંત્રોના જાપ કરવાના ખાસ મહ્ત્વ હોય છે. તમે શુક્રવારેના દિવસે માતા   ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરી શકો છો. માતા દુર્ગાના આ મંત્રથી લક્ષ્મી સરસ્વતી અને કાળી ત્રણેની ઉપાસના માટે છે. 
 
શનિવાર- શનિવારના દિવસ શનિદેવ અને ભગવાન હનુમનાના દિવસ ગણાય છે આ દિવસે ॐ હનુમંતેય નમ:ના જાપ કરવાથી શારિરિક શક્તિ વધે છે અને શનિદેવને પ્રસન્ન કરવા 
ॐ શનિદેવાય નમ: ના જાપ કરી શકો છો