પાનખરમાં વસંત...રંગ...ગુલાલનું પર્વ એટલે જ હોળી... ધુળેટી...
પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી...
પરંપરાનું પ્રાગટય એટલે હોળી...તહેવાર એક પરંતુ રંગ અનેક...હોલીકાદહન..ધુલીકા વંદના...ધૂળેટીનું પર્વ એટલે મોજમસ્તીનું પર્વ... હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિનને હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે રંગેચંગે ઉજવાય છે. શાસ્ત્રમાં થયેલા ઉલ્લેખ અનુસાર ‘માસાનામ ઉતમે માસે...' એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે. આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ખરી ગયેલા જુના પાન, ફળ, ફુલના સ્થાને નવી નવી નવાકુરિત કુંપળો, ફુલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્યંત સોહામણા દ્રષ્ટિગોચર થાય છે. વસંતનું મનભાવન આગમન આ માસથી પ્રારંભીત થાય છે. હોળી, ધુળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક માન્યતા પણ સંકળાયેલ છે. જે સદીઓથી પ્રચલીત છે. આવો આપણે એ માન્યતાની ઝલક જોઈએ તો...વધુ આગળ
હિરણ્યકશ્યપ નામે રાજા... જાણે દૈત્યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્ત પ્રહલાદ... પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્ત... બન્ને પોતાની જીદ પર અડગ... પિતા એ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્યાના કર્યાના અનેક પ્રયાસ... પરંતુ આ તો સાચો પ્રભુ ભકત બહેન હોલીકા ની મદદથી હીરણ્કશ્યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્ટુ હોલીકા થઇ બળીને ભસ્મ અને પ્રભુભકત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હસતો રમતો. પ્રજાજનો એ મનાવ્યો આનંદોત્સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે ત્યારથી ફાગનસુદ પુનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્ધ સૌ હોશે હોંશે ઉજવે છે.વધુ આગળ