શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 3 ડિસેમ્બર 2016 (13:47 IST)

એસીડીટીથી પરેશાન છો તો અપનાવો આ નુસ્ખા

મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને તીખો ખોરાક ખાવાથી થાય છે. એસીડીટી થતા અનેક લોકો જુદી જુદી પ્રકારની દવાઓનું સેવન કરે છે. પણ આ દવાઓથી થોડી વાર માટે જ આરામ મળે છે.   કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ એસીડીટીને દૂર કરી શકાય છે. આજે અમે તમને એસીડીટીને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ. 
 
1. કાચુ દૂધ - હાઈપર એસીડીટીથી પીડિત લોકોએ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં રહેલ કેલ્શિયમથી પેટમાં એસિડ ઓછુ થાય છે. 
 
2. એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ એસીડિટી માટે ખૂબ લાભકારી છે. એલોવેરા જ્યુસને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીવો. 
 
3. સવારે ઉઠીને પાણી પીવો - રોજ સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવો. તેનાથી એસીડીટીથી છુટકારો મળશે. પાણી પેટમાં એસિડ લેવલને સંતુલિત રાખે છે. 
 
4. ફુદીનાની ચા - ફુદીના એસીડીટીની સમસ્યાને દૂર કરવા માટે કારગર છે.  એસીડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો. 
 
5. સફરજનો સિરકા - 2 મોટી ચમચી સફરજનના સિરકાને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને એસીડીટી થતી નથી. 
 
6. મેથી દાણા - એક ચમચી મેથી દાણાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો.