શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (17:29 IST)

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્ત કોશિકાઓને વધારવામાં સહાયક છે.  જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી લોહીની કમી ન થવાની સાથે જ શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવી શકાય છે.  રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ જીરુ અને ગોળવાળુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.  આજે અમે તમને આ જ ફાયદા વિશે બતાવીશુ. 
 
1. પાચન તંત્ર મજબૂત  - જીરા અને ગોળનુ પાણી પીવાથી કબજિયાત ગેસ અને પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થતી નથી. રોજ સવારે 1 ગ્લાસ જીરુ અને ગોળવાળા પાણીને તમારા ડાયેટમાં સામેલ કરો. 
 
2. વજન ઓછુ કરવામાં સહાયક - એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી જીરુ અને ગોળ મિક્સ કરીને ઉકાળી લો. રોજ તેનુ સેવન કરવાથી શરીરમાંથી ફાલતૂ ચરબી નીકળી જાય છે.  તમે ગોળની ચા પણ બનાવી શકો છો. 
3. લોહી સાફ કરવુ - અનેકવાર લોહીમાં કેટલાક ઝેરીલા પદાર્થ આવી જાય છે.  જેનુ શરીરમાંથી બહાર નીકળવુ ખૂબ જરૂરી હોય છે. એ ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં ગોળ અને જીરુ ખૂબ સહાયક છે. 
 
4. માસિક ધર્મના દુખાવામાં આરામ - કેટલીક મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો કે અનિયમિતતા રહે છે.  રોજ ગોળ અને જીરાવાળુ પાણીનુ સેવન કરવાથી આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
5. સાંધાના દુ:ખાવામાં રાહત - શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે.  રોજ 1 ગ્લાસ જીરાવાળા પાણીમાં ગોળ નાખીને પીવાથી પીઠ, કમરના દુખાવામાં રાહત મળે છે. 
6. ઉર્જા પ્રદાન કરવી - તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે. જેનાથી શરીરને ઉર્જા મળે છે.  શરીરમાં ઉર્જાને કાયમ રાખવા માટે રોજ સવારે ખાલી પેટ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવુ જોઈએ. 
 
7. એનિમિયામાં લાભકારી - શરીરમાં લોહીની કમી થતા કે એનીમિયાની સમસ્યા થતા ગોળ અને જીરાવાળુ પાણી પીવુ જોઈએ. તેમા જોવા મળનારા પોષક તત્વ લોહીમાં રહેલ અશુદ્ધિયોને દૂર કરી નાખે છે. 
 
કેવી રીતે બાનવશો ગોળ-જીરાનું પાણી 
 
એક વાસણમાં 2 કપ પાણી લો. તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરુ નાખીને ઉકાળી લો. હવે તેને ઠંડુ થવા માટે છોડી દો. સવારે ખાલી પેટ તેનુ સેવન કરવાથી ફાયદો થાય છે.