ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:55 IST)

ડાયાબીટિશ અને જાડાપણાથી છુટકારો મેળવવા પીવો કેરીના પાનની ચા

ડાયાબીટિશ થતા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. આમ તો તેને કંટ્રોલ કરવાની ઘણી બધી દવાઓ બજારમાં મળી જાય છે. પણ બધી વસ્તુઓના પોતાના સાઈડ ઈફેક્ટ હોય છે.  તમે વિશ્વાસ નહી કરો કે તેને પછાડવા માટે તમારા ઘરમાં એક એવી વસ્તુ છે જે તમારી જીંદગીને સરળ બનાવી દેશે. 
 
ડાયાબીટિસ અને કેરીના પાન 2010માં કરવામાં આવેલ એક સ્ટડીમાં જોવા મળ્યુ કે કેરીના પાનમાંથી કાઢવામાં આવેલ અર્ક દ્વારા ડાયાબીટિસનો પ્રાકૃતિક ઈલાજ થાય છે. આના પાન શુગરને લો કરવામાં મદદ કરે છે.  કેરીના પાનને પાણીમાં ઉકાળી સવારે ખાલી પેટ પીવાથી ખૂબ ફાયદો મળે છે.  આવો જાણીએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે. 
 
સામગ્રી - પાણી 3-4 આમના પાન બનાવવાની વિધિ - એક નાનકડા વાસણમાં કેરીના પાનને ઉકાળો.  જ્યારે આ થઈ જાય, ત્યારે આ પાણીને આમ જ રાતભર માટે છોડી દો. પછી પાનને ગાળીને પાણીને સવારે ખાલી પેટ પી લો.