શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (11:52 IST)

Diabetes Care - સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુઓ તો ડાયાબીટીસથી બચી જશો

ડાયાબીટીસ-2ના સંકટથી બચવા માટે નાસ્તામાં દલિયાનુ સેવન જરૂર કરો. એક અભ્યાસ મુજબ રોજ ફાયબરથી ભરપૂર ભોજન વિશેષકરીને દલિયાનુ સેવન કરવાથી ડાયાબિટીસ-2 થવાનુ સંકટ પાંચ ગણુ ઓછુ થાય છે. 
 
નોર્વેજિયન યૂનિવર્સિટી ઓફ સાયંસ અને લંડનના ઈંપીરિયલ કોલેજના શોધકર્તાઓએ આ અભ્યાસ કર્યો. તેમણે લગભગ આઠ દેશોન 41 હજાર દર્દીઓના ડેટાના આધાર પર આ પરિણામ કાઢ્યુ. 
 
ડાયબિટોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં શોધકર્તાઓએ જણાવ્યુ કે રોજ 26 ગ્રામ ફાઈબર ગ્રહણ કરવાથી ડાયાબિટીઝ-2નુ સંકટ 18 ટકા ઓછુ થઈ જાય છે. શોધકર્તા આ માટે દલિયા અને સોનેરી રંગના ચોખા સૌથી સારા બતાવ્યા છે. તેમના મુજબ તેમા સૌથી વધુ ફાયબરની માત્રા હોય છે. 
 
એક બાઉલ કોર્નફ્લેક્સમાં 0.3 ગ્રામ, અનાજ અને ફળોનું મિશ્રણથી 3 અને સફેદ બ્રેડની બે સ્લાઈસથી ફક્ત 1.3 ગ્રામ ફાઈબર મળે છે. જ્યારે કે દલિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. 
 
બીપી પર પણ નિયંત્રણ રાખે છે 
 
ફાઈબરથી ભરપૂર નાસ્તાનું સેવન ડાયાબિટીઝ-2નુ સંકટ ઓછુ કરવા ઉપરાંત હાઈ બીપી પર નિયંત્રણ, વજન ઓછુ કરવા અને કેંસર માટે જવાબદાર અણુઓને પણ શરીરની બહાર કાઢે છે.