બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 6 મે 2016 (15:40 IST)

પાઈલ્સનો કારગર ઉપાય

અરીઠાના ફળમાંથી બીજ કાઢીને બાકીના ભાગને લોખંડની કઢાઈમાં નાખીને તાપ પર ત્યા સુધી મુકો જ્યા સુધી તે કોલસો ન બની જાય અને જ્યારે એ બળીને કોલસો થઈ જાય ત્યાર ગેસ પરથી ઉતારીને સમાન માત્રામાં પપડિયા કાથો (કત્થો) મિક્સ કરીને કપડા વડે ચાળીને ચૂરણ તૈયાર કરી લો બસ હવે આ ઔષધિ તૈયાર છે. 
 
આ તૈયાર ઓષધિમાંથી એક રત્તી (125 મિલીગ્રામ)  લઈને માખણ કે મલાઈ સાથે સવાર-સાંજ લેતા રહો. આ રીતે સાત દિવસ સુધી દવા લેવાની હોય છે. આ ઔષધિ માત્ર સાત દિવસ સુધી લેતા રહેવાથી કબજિયાત બવાસી અને ખુજલી બવાસીરમાંથી લોહી વહેવુ વગેરે દૂર થઈને દર્દીને રાહત આપે છે. 
 
જો રોગીને આ રોગથી કાયમ માટે મુક્તિ જોઈતી હોય તો દર છ મહિના પછી ફરીથી 7 દિવસનો આ કોર્સ બિલકુલ આ રીતે ફરીથી અપનાવવો જોઈએ.