શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (17:58 IST)

કમળા માટે રામબાણ છે આ 5 સહેલા ઘરેલુ ઉપચાર

કમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી થાય છે. તેમાં રોગીને પીળો પેશાબ થાય છે. તેના નખ ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો હોય છે.  રોગી ખૂબ કમજોરી અનુભવે છે. આ ઉપરાંત તેને કબજિયાત, ઉબકા આવવા, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી વગેરે પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. તેથી આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાયો લઈને આવે છે. જેને અપનાવીને કમળાના રોગથી રોગીને જલ્દી રાહત મળી શકે છે. 
 
1. ડુંગળી - કમળાના ઉપચાર માટે ડુંગળી ખૂબ ઉપયોગી છે. સૌ પહેલા ડુંગળીને ઝીણી વાટીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં કાળા મરી,  સંચળ અને લીંબુનો રસ મિક્સ કરીને તેનુ સવાર સાંજ સેવન કરો. 
 
2. શેરડીનો રસ - કમળાના રોગીને રોજ શેરડીનો રસ પીવડાવવો જોઈએ તેનાથી કમળામાં જલ્દી રાહત મળે છે. 
 
3. ગાજર અને કોબીજનો રસ - ગાજર અને કોબીજના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી અને થોડા સુધી રોજ તેનુ સેવન કરો. આવુ કરવાથી કમળાના રોગમાં જલ્દી આરામ મળે છે. 
 
4. ચણાની દાલ - રાત્રે ચણાની દાળને પાણીમાં પલાળી દો સવારે તેમાથી પાણી કાઢી લો અને તેમા ગોળ ભેળવીને ખાવ. આ નુસ્ખો ખૂબ અસરદાર છે. 
 
5. લીંબૂ પાણી - લીંબૂ પાણી પણ ખૂબ લાભકારી સાબિત થાય છે. રોજ એક કે બે ગ્લાસ લીંબૂ પાણીનું સેવન કરો.