Try this - તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ
શરીરની દુર્ગંધ દૂર - શરીરની દુર્ગંધથી પરેશાન છો તો બાથટબમાં પાણી ભરો. તેમા બે કપ ટામેટાનું જ્યુસ નાખી દો. હવે આ ટબમાં 15 મિનિટ સુધી બેસો. પછી સાદા પાણીથી નાહી લો.
શરદીથી રાહત - સરદી ખાંસીથી પરેશાન છો તો ત્રણ ચમચી ડુંગળીનો રસ લો. એટલુ જ મધ નાખો. આ મિશ્રણના સેવનથી તમને રાહત મળશે.
ભૂખ વધી જશે - જો તમારી ભૂખ ઓછી થઈ ગઈ હોય તો તાજા આદુનુ સેવન કરો આ તમારા ડાયજેસ્ટિવ જ્યુસેસને વધારીને ભૂખ વધારી દે છે.
દાદ મટી જશે - ચોમાસામાં મોટાભાગે દાદની સમસ્યા ઉભી થાય છે. સરસવને વાટીને પાણીથી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દાદના સ્થાન પર લગાવો. દાદ ગાયબ થઈ જશે.