ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Water Therapy: બસ રોજ 4 ગ્લાસ પાણી પીવો અને બીમારીઓ ભગાવો

સકનીરા એસોસિએશનની અનોખી વોટર થેરેપી

માથાનો દુ:ખાવો, હાઈ બીપી, લોહીની ઉણપ, જાડાપણું. બેહોશી, શ્વાસની બીમારી, ખાંસી, લીવરની નબળાઈ, પેશાબની બીમારી, ગેસ, કબજીયાત, એસીડીટી, નબળાઈ, આંખની બીમારી, માનસિક રોગ, મહિલાઓને થનારી બીમારીઓ અને શરીરમાં ઉભી થનારી વિવિધ નવી જૂની બીમારીઓને દૂર કરવા માટે જાપાનની સકનીરા એસોસિએશન દ્વારા પાણીના પ્રયોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

પાણી દ્વારા રોગોને દૂર કરવાની આ સહેલી અને સરળ પદ્ધતિ છે. ભારત જેવા ગરીબ દેશ માટે તો આ વિધિ પૈસા ખર્ચ કર્યા સિવાય ચમત્કારી પદ્ધતિ સાબિત થઈ શકે છે. બસ જરૂર છે આને લોકો સુધી પહોંચાડવાની.


આગળના પેજ પર : પાણી પ્રયોગની વિધિ શુ છે


પાણી પ્રયોગ વિધિ શુ છે

સવારે ઉઠીને પથારીમાં બેસી જાવ અને ચાર મોટા ગ્લાસ ભરીને (લગભગ એક લીટર) પાણી એક જ સમયે એક સાથે પી જાવ. ઘ્યાન રહે કે પાણી પીતા પહેલા મોઢું ન ધુઓ, ન બ્રશ કરો અને શૌચાલય પણ ન જાવ. પાણી પીધા બાદ થૂંકશો નહી.

P.R

પાણી પીવાના પોણા કલાક પછી તમે બ્રશ, મોઢુ ધોવુ, ટોયલેટ જવુ વગેરે નિત્યકર્મ કરી શકો છો. જે વ્યક્તિ બીમાર કે કમજોર શરીરનો છે તેણે એક સાથે ચાર ગ્લાસ પાણી નથી પી શકતો તો તેણે શરૂઆત એક બે ગ્લાસથી કરવી જોઈએ અને ધીરે ધીરે ચાર ગ્લાસ સુધી વધારવુ જોઈએ. સાથે જ ભોજન કર્યા બાદ લગભગ બે કલાક સુધી પાણી ન પીવામાં આવે તો અતિ ઉત્તમ રહેશે.


આગળના પેજ પર : કંઈ બીમારીઓમાં લાભદાયક છે વોટર થેરપી.


ચાર ગ્લાસ પાણી પીવાની આ વિધિ સ્વસ્થ અને બીમાર, બધા માટે અતિ લાભકારી સિદ્ધ થઈ છે. સકનીરા એસોસિએશનના અનુભવ દ્વારા આ સિદ્ધ કરવામાં આવ્યુ છે કે અનેક બીમારીઓ આ પ્રયોગથી નિમ્નલિખિત સમયમાં દૂર થઈ જાય છે.

P.R


- ડાયાબિટિશ લગભગ એક મહિનામાં
- હાઈ બીપી લગભગ એક મહિનામાં.
- ગેસ લગભગ બે અઠવાડિયામાં.
- ટીબી લગભગ છ મહિનામાં.
- કબજીયાત લગભગ બે અઠવાડિયામાં.