કેરીના ઘરેલૂ નુસ્ખા અજમાવી જુઓ
બળતરા : કેરીના પાનને સળગાવીને તેની રાખને શરીરના બળેલા ભાગ પર લગાવો. બળેલ ભાગ સારો થઈ જશે. અનિંદ્રા : રાત્રે કેરી ખાવ અને દૂધ પીવો, આનાથી ઉંઘ સારી આવે છે. પેટના કૃમિ : કેરીની ગોટલીનું ચુર્ણ ગરમ પાણીની સાથે ચોથી ચમચી આપવાથી પેટના કૃમિનો સફાયો થઈ જશે.પથરી : કેરીની ગોટલીને શેકીને મીઠુ લગાડીને રોજ ખાવાથી રાહત મળશે. દાંતની મજબુતી : કેરીના તાજા પાનને ખુબ જ ચાવીને થુંકી દો. થોડાક જ દિવસના નિરંતર પ્રયોગથી હલતાં દાંત મજબુત થઈ જશે, પેઢામાંથી લોહી વહેતુ પણ બંધ થઈ જશે.