- લાઈફ સ્ટાઈલ
- આરોગ્ય
- ઘરેલુ ઉપચાર
ગાજરના ગુણકારી ઉપયોગ
-
આગથી ત્વચા બળી ગઈ હોય તો કાચા ગાજરને પીસીને લગાવવાથી તરત જ લાભ થાય છે અને બળેલા ભાગ પર ઠંડક થઈ જાય છે.
-
મગજને મજબુત બનાવવા માટે ગાજરના મુરબ્બાને રોજ સવારે ખાવો જોઈએ. -
જેમને બ્લડપ્રેશરની પ્રોબલમ હોય તેમણે ગાજરના રસમાં મધ ભેળવીને પીવું જોઈએ. -
ગાજરનો રસ, ટામેટાનો રસ, સંતરાનો રસ અને બીટનો રસ પચીસ ગ્રામની માત્રામાં રોજ લેવાથી બે મહિનામાં ખીલ, ડાઘ અને કરચલીઓ વગેરે દૂર થઈ જશે.
-
જેમને પથરીની તકલીફ હોય તેમને રોજ ગાજર, કાકડી અને બીટનો રસ સમાન માત્રામાં લેવો જોઈએ.
-
ગાજરના સેવનથી ઉદર રોગ, કફ તેમજ કબજીયાતનો નાશ થાય છે અને આંતરડામાં જામેલ મેલ ઝડપથી દૂર થઈ જાય છે.
-
બાળકોને કાચા ગાજર ખવડાવવાથી પેટના કૃમિ નીકળી જાય છે. -
ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે.