શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર : સ્વાસ્થ્યમાં લાભકારી છે આદુ

P.R
આર્યુવેદ અને યુનાની ચિકિત્સક પદ્ધતિઓમાં આદુને ટોચનું સ્થાન આપાયુ છે. આદુ પાચન અને શ્વાસની બીમારીઓમાં ખૂબ જ લાભકારી છે. આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક વગેરે મિનરલ જોવા મળે છે.

1. ભૂખ વધારવા : જો આદુને ભોજન પહેલા સંચળ સાથે મિક્સ કરી ખાવામાં આવે તો ભૂખ વધી જાય છે. આ શરીરમાં જઈને આપણા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. તેનાથી પેટમાં ગેસ બનતો નથી અને શૌચમાં શુદ્ધિ થાય છે.

2. શરદી, ખાંસી અને માથાનો દુ:ખાવો દૂર કરે - નાકમાંથી પાણી નીકળવું, અને શરદીને તે ક્ષણમાં દૂર કરે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છે.

3. મુસાફરો માટે ફાયદાકારી - ઘણા લોકોને યાત્રા કરતી વખતે કે પછી ચકડોળમાં બેસ્યા પછી, ઉલટી જેવુ થવુ, માથુ દુ:ખવુ, ગભરાટ થવી જેવી સમસ્યા થાય તો મોઢામાં એક આદુનો ટુકડો મુકી દેવાથી સમસ્યાનું સમાધાન થશે.

4. સાંધાના દુ:ખાવા માટે - સુકો આદુ કે પછી આદુના પાવડરનું સેવન કરવાથી સાંધામાં થનારો સોજો કે દુ:ખાવાથી મુક્તિ મળે છે.

5. યુવાન અને ચમકદાર ત્વચા : યુવા અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ કુણા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ખાવ. આનાથી પિગમેટેશનની સમસ્યાથી મુક્તિ મળશે.