બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 7 જુલાઈ 2016 (17:58 IST)

દૂધ પીધા પછી , કે સાથે નહી કરવા જોઈએ આ 6 કામ

દૂધને પોષક તત્વોથી ભરપૂર ગણાય છે. જો તમે તમારા મગજને દુરૂસ્ત રાખવા ઈચ્છો છો તો રોજ એક ગ્લાસ દૂધ જરૂર પીવો. આવું કરવાથી દિમાગી ક્ષમતા તેજ થશે. શરીર પણ બળશાલી બનશે. દૂધ એક સંપૂર્ણ આહાર છે. આથી દૂધ પીઓ શરીર માટે જરૂરી છે. પણ સાથે ઘણી વાતોના ધ્યાન રાખવા જરૂરી  છે. નહી તો દૂધ શરીરના ફાયદાની જગ્યાએ નુક્શાન પણ પહોંચાડી શકે છે. એવી વસ્તુઓ છે જે દૂધ સાથે લેતા ફાયદા કરે છે ... પણ સાથે એવી વસ્તુઓ પણ હોય છે જે દૂધ સાથે લેતા ખૂબ વધારે નુકશાન પહોંચાડે છે આવો જાણીએ એવી વસ્તુઓ વિશે. 
 
1. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઉડદ દાળ ખાધા પછી દૂધ નહી પીવું જોઈએ. કારણ કે સ્વાસ્થય માટે સારું નહી હોય છે
2. દૂધ સાથે દહીં નહી લેવા જોઈએ. બન્ને જુદા-જુદા સમય લેવું સ્વાસ્થય માટે સારું હોય છે. 
 
3. આ સિવય જાંબુ મૂળા કે માછલી વગેરે પણ નહી લેવી જોઈએ. આ વસ્તુઓ દૂધ સાથે શરીર પર ખરાબ અસર નાખે છે. આવું કરવાથી ત્વચા સંબંધિત રોગ થઈ શકે છે. 
 
4. દૂધ સાથે મીઠું કે કારેલા નહી લેવા જોઈએ. આ પણ સેહત માટે હાનિકારક હોઈ શકે છે. 
 
5. આ સાથે તલ પણ નહી લેવા જોઈએ. આ પણ ત્વચા સંબંધિત રોગ થવાની શકયતા રહે છે. 
 
6. દૂધ અને લીંબૂ બન્ને જ સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક છે. પણ એને એક સાથે લેવું સેહત માટે નુકશાન દાયક થઈ શકે છે.