શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

ઘરમાં ઘૂસી જાય ઉંદર, તો તેને ભગાડવાના ઉપાય

આમ તો તમે પણ લોકોના મોઢાથી ઉંદરના આતંક વિશે સાંભળ્યું હશે. આ જે ઘરમાં નાસી જાય છે ત્યાં ખૂબ નુકશાન કરે છે. ઉંદરને મારવા માટે બજારમાં મળતા દવાઓનો પ્રયોગ કરે છે પણ આવું કરવાથી ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. તેથી ઘરમાં રહેલ ઘણી એવી વસ્તુઓ છે જેના મદદથી તમે તેને ઘરથી ભગાડી શકો છો. 

 
ફુદીના 
ઘરમાં જે જગ્યાથી ઉંદર પ્રવેશ કરે છે ત્યાં ફુદીનાના તેલમાં રૂ પલાળી રાખી દો. ફુદીનાની ગંધથી ઉંદર ઘરની અંદર નાસી શકે નહી. ઉંદરને ભગાડવા માટે તમે તમારા ઘરમાં ફુદીનાના છોડ પણ લગાવી શકો છો. 
 

 
બિલાડી 
જો તમે ઉંદરને તમારા ઘરથી દૂર કરવા ઈચ્છો છો તો તમારા ઘરમાં બિલાડી પાળી લો. બિલાડી ઉંદરની સૌથી મોટી દુશ્મન હોય છે. 
ફટકડી 
ઉંદરના બિલ પાસે ફટકડી નો પાઉડર મૂકી દો.ઉંદર તમારા ઘરથી ભાગી જશે. 
ઉલ્લૂના પાંખ 
ઉલ્લૂના પાંખથી ઉંદર બહુ ભીકે છે. જો તમે ઉલ્લૂના પાંખ મળી જાય તો તેને લઈને ઉંદરના બિલ પાસે રાખી દો. ઉંદર તમારા ઘરમાં જોવાશે નહી. 

કાળી મરી 
કાળી મરીને પાણીમાં મિક્સ કરીને ઉંદરના બિલ પાસે છાંટી દો. તેની ગંધથી ઉંદર ભાગી જશે. 
ડુંગળી 
ડુંગળીની ગંધ બહુ તીખી હોય છે. ઉંદર તેને સહન કરી નહી શકતા. જ્યાં પણ ઉંદર જોવાય ત્યાં ડુંગળીના નાના-નાના ટુકડા કાપી મૂકી દો. 
 
વાળ 
માણસના વાળ પણ ઉંદર માટે યમરાજ થઈ શકે છે. તેને ફેંકવાની જગ્યા ઉંદરના બિલ પાસે મૂકી દો. ઉંદર તેને ખાઈને મરી જશે.