શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. જન્માષ્ટમી વિશેષ
Written By વેબ દુનિયા|

જન્માષ્ટમીની વ્રતની પૂજન-વિધિ

N.D

જ્યારે જ્યારે આ ધરતી પર અસુરોના અત્યાચાર વધ્યા છે અને ધર્મનું પતન થયું છે ત્યારે ત્યારે ભગવાને આ પૃથ્વી પર અવતાર લઈને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે. આ કડીમાં શ્રાવણ વદની મધ્યરાત્રીએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણને અવતાર લીધો હતો. કેમકે ભગવાન સ્વયં આ દિવસે ધરતી પર અવતરિત થયા હતા જેથી આ દિવસને જન્માષ્ટમીના રૂપમાં ઉજવાવામાં આવે છે. આ દિવસે સ્ત્રી અને પુરૂષ બંને રાત્રે 12 વાગ્યા સુધી વ્રત રાખે છે. આ દિવસે મંદિરમાં હિંડોળા શણગારવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણને ઝુલાવાવામાં આવે છે.

વ્રત પૂજન કેવી રીતે કરશો-

ઉપવાસની આગામી રાત્રે હલકો ખોરાક લો અબે બ્રહ્મચર્યનું પાલન કરો.
ઉપવાસના દિવસે સવારે વહેલાં સ્નાનાદિ નિત્યકર્મોથી પરવારી જાવ.
ત્યાર બાદ સૂર્ય, સોમ, યમ, કાળ, સંઘિ, ભૂત, પવન, દિકપતિ, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદિને નમસ્કાર કરીને પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ કરીને બેસો.

ત્યાર બાદ જળ, ફળ, કુશ અને ગંધ લઈને સંકલ્પ કરો-
ममखिलपापप्रशमनपूर्वक सर्वाभीष्ट सिद्धये
श्रीकृष्ण जन्माष्टमी व्रतमहं करिष्ये॥

હવે મધ્યાહનના સમયે કાળા તલના પાણીથી સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્ર સ્થાપીત કરો.

મૂર્તિમાં બાળક શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતી દેવકી હોય અને લક્ષ્મીજી તેમના ચરણ સ્પર્સ કર્યા હોય અથવા એવો ભાવ હોય. ત્યાર બાદ વિદી-વિધાનથી પૂજા કરો.

પૂજનમાં દેવકી, વસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને લક્ષ્મીજી આ બધાના નામ વારાફરતી નિર્દેશિત કરવા જોઈએ.
ત્યરા બાદ નીચેના મંત્ર દ્વારા પુષ્પાજંલી અર્પણ કરો-
'प्रणमे देव जननी त्वया जातस्तु वामनः।
वसुदेवात तथा कृष्णो नमस्तुभ्यं नमो नमः।
सुपुत्रार्घ्यं प्रदत्तं में गृहाणेमं नमोऽस्तु ते।'
अंत में प्रसाद वितरण कर भजन-कीर्तन करते हुए रतजगा करें।