ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:41 IST)

Shri janmashtami : મનોકામના પૂર્તિના 8 ખાસ ઉપાય

આ વર્ષ ગુરૂવારે 25 અગસ્ત,2016 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. તંત્રની નજરેથી આ તિથિ ખૂબ મહ્ત્વપૂર્ણ છે અને હોળી , દિવાળી અને શિવરાત્રિ સમાન મહત્વપૂર્ણ ગણાયેલી છે. મનોકામના પૂરિના પ્રયોગ નીચે અપાયેલ છે. 


 

1. જે માણસોના જીવનમાં સમસ્યાઓ ભરપૂર હોય અને કોઈ રસ્તો નહી સૂઝાવતો હોય તો , " શ્રી કૃષ્ણ શરણં મમ' નું જાપ કરો અને આર્ત હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણ થી પ્રાથના કરો. જરૂર સફળ થશે. 


2. ઘરમાં તનાવ , અશાંતિ , સ્વાસ્થયની સમસ્યા હોય તો 'ક્લીં ઋષિકેશાય નમ:'  ની 51 માળા કરો. 
3. આર્થિક સમસ્યા વગેરે માટે  'શ્રી ગોપીજન વલ્લભાય સ્વાહા' જપો. 

4.  લગ્નની સમસ્યા કે ગૃહસ્થીની સમસ્યા હોય તો "ૐ નમો ભગવતે રૂકમણી વલ્લભાય સ્વાહા'જપો. 5. ઈષ્ટ સિદ્ધિ માટે 'શ્રી કૃષ્ણાય નમ:'નું જાપ કરો. 
6. સૌભાગ્ય વૃદ્ધિ , સુખ-શાંતિ અને મોક્ષ માટે  "ૐ એં શ્રીં ક્લીં પ્રાણવલ્લભાય સૌ સૌભાગ્યદાય શ્રીકૃષ્ણાય સ્વાહા" નું જાપ કરો. 
 

7. સંતાન સુખ પ્રાપ્તિ માટે નિન્મ મંત્રનું જાપ અને લડ્ડૂ ગોપાલનું પંચામૃતથી અભિષેક કરો. 
 
મંત્ર 
"ૐ દેવકીસુત ગોવિન્દ વાસુદેવ જગત્પતે
દેહિમે તનયં કૃષ્ણ ત્વામહ શરણં ગત : 
 

8.ધર્મ -અર્થ કામ મોક્ષ પ્રાપ્તિ માટે "ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:" નું જાપ કરો. 
ઉપરોક્ત મંત્રના માનસિક જપ હમેશા અને દરેક જગ્યા કરી શકાય છે. જપ માળા તુલસીની અને આસન કુશના પ્રયોગ કરો. ચંદનાદિ પ્રયોગ કરો. પ્રસાદમાં પંચામૃત માં તુલસી મિશ્રિત કરો. પોતે તુલસીની માળા અને શ્વેત વસ્ત્ર ધારણ કરો. પીતંબર પણ ચાલે. પંજરીનું પ્રસાદ વહેંચો. સાત્વિક ભોજન કરો બ્રાહ્મણ ભોજન સાધનાના ફળને દ્વિગુણિત કરે છે.