सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान् स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥
જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.
શ્રીકૃષ્ણના ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.
ભગવાન પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ જ્યારે ચિત્તમાં વિરાજે છે, ત્યારે તેના પ્રભાવથી કળયુગના બધા પાપ અને દ્રવ્ય, દેશ અને આત્માના દોષ નષ્ટ થઈ જાય છે.
शय्यासनाटनालाप्रीडास्नानादिकर्मसु।
न विदुः सन्तमात्मानं वृष्णयः कृष्णचेतसः॥
શ્રીકૃષ્ણને પોતાનુ સર્વસ્વ સમજનારા ભક્ત શ્રીકૃષ્ણમા એટલા તન્મય રહેતા હતા કે સૂતા, બેસતા, હરતા, ફરતા, વાતચીત કરતા, રમતા, સ્નાન કરતા અને ભોજન વગેરે કરતા સમયે તેમને પોતાનો હોશ જ રહેતો નહોતો.