શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

શનિ વક્રી થવાથી જાણો તમારી રાશિ પર શુ થશે અસર ?

P.R
શનિ 19 ફેબ્રુઆરીથી સીધી ચાલ છોડીને ઉલટી ચાલ ચાલશે. શનિ પોતાના વક્રી સમયમાં રાહુ નક્ષત્ર સ્વાતિમા રહેશે. પ્રસ્તુત છે જ્યોતિષી વિશ્લેષણ

ભારતનુ લગ્ન વૃષભ છે. રાશિ કર્ક વર્તમાનમાં વૃષભ છે. ચન્દ્ર ઉચ્ચ છે પણ દશમ ભાવ રાજ્ય ભાવ કહેવય છે. બીજી બાજુ નવમ ભાવનો સ્વામી વર્તમાનમાં વક્રી થઈ ગયો છે.

જેના પરિણામસ્વરૂપ દેશમાં હંગામો થશે. કેન્દ્ર સરકારની મુસીબતો વધશે. ઘણા લાંબા સમય મતલબ 8 જુલાઈ સુધી શનિનુ વક્રી રહેવુ સામાન્ય જનતા માટે પણ કષ્ટકારી રહેશે.


મેષ : આવકમાં કમી, આર્થિક નુકશાન, રાજ્ય પક્ષ નબળુ, વેપારમાં ખોટ, નોકરિયાત લોકોને મુશ્કેલીનો અનુભવ થશે.

વૃષભ - રાજ્ય પક્ષને નુકશાન, નોકરીમાં વ્યસ્તતા, પિતા તરફથી ચિંતા, ભાગ્યમાં રુકાવટ આવી શકે છે. શત્રુ પક્ષથી બચીને ચાલો.

મિથુન - સંતાન કષ્ટ, ભાગ્યમાં રુકાવટ, સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. આવક બાબતે સાવધ રહો.

કર્ક - પારિવારિક બાબતોમાં મુશ્કેલી, દાંપત્ય જીવનમાં ખટપટ ચાલતી રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા પણ રહી શકે છે.

સિંહ - પરાક્રમમાં કમી, નાના ભાઈઓની ચિંતા, જીવનસાથી સાથે તણાવ, શત્રુ પક્ષથી પરેશાની ઉભી થઈ શકે છે.

કન્યા - સંતાન તરફથી ચિંતા, વિદ્યાર્થી વર્ગ માટે કશુ ઠીક નહી રહેતુ. શત્રુ પક્ષથી મુશ્કેલી અનુભવ કરશે.


તુલા - પારિવારિક બાબતોમાં વ્યસ્તતા, વિદ્યાર્થી વર્ગ ધ્યાન રાખીને કામ કરે. સંતાન તરફથી ચિંતા, માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજગ રહો. સ્વપ્રયત્નોથી જ કાર્યમાં સફળતા મેળવશો.

વૃશ્વિક - બહારના બબાતોમાં સાવધાની રાખીને કાર્ય કરો. પરાક્રમમાં કમી, શત્રુથી ક્ષતિ, પારિવારિક વાદ-વિવાદથી બચો. ભૂમિ ભવનના બાબતોમાં સાવધાની રાખો.

ધન - આવક બાબતમાં મુશ્કેલી, મોટા ભાઈઓ સાથે વિવાદ શક્ય. પરાક્રમમાં કમી, ધનની બચત નહી થાય અને કુટુંબના વ્યક્તિઓનો સહયોગ નહી રહે.

મકર - પિતાના સ્વાસ્થ્યની ચિંતા, નોકરીયાત વર્ગને પરેશાની, ખુદનુ સ્વાસ્થ્ય બગડશે. પરિશ્રમ કરવા પર પણ સફળતા ઓછી મળશે.

કુંભ - માનસિક ચિંતા, મહેનત પ્રમાણે સફળતા નહી મળે. બહારી બાબતોમાં સાવધાની મુકીને ચાલો. નોકરિયાત સાચવીને કામ કરે.

મીન - આવકની બાબતોમાં અવરોધ, મોટાભાઈની ચિંતા, દાદા-દાદીના સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે. ખુદ સાવધાની રાખો. વાદ-વિવાદથી બચો.

ઉપરોક્ત ફળ જન્મ સમયે શનિ જો વક્રી પર હોય તો વધુ પ્રભાવી રહે છે. જો કોઈ જાતકને મુશ્કેલીનો અનુભવ થાય તો તે દર શનિવારે તલનું તેલ એક ચમચી કાચી જમીન પર નાખે. આ રીતે ઉપાય કરવાથી શનિનો દુષ્પ્રભાવ ઓછો થશે