બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Modified: બુધવાર, 25 જૂન 2014 (12:33 IST)

જ્યોતિષ 2014 - નાના ઉપાયો કરીને મેળવો મોટો લાભ

- જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દરેક સભ્યના નામે જુદા જુદા પેકેટ ગરીબો કે ભિખારીઓને દાન કરો. 
 
- તમારા પહેરેલા કપડાં કોઈ ગરીબને દાન કરો અને પ્રાર્થના કરો કે આને જે પણ પહેરે તેની દુઆ અમને મળે અને અમારી શનિ પીડા શાંત થઈ જાય. 
 
-શનિવારે કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. 
 
- કાચબા અને માછલીઓને ભોજન/અનાજ વગેરે ખાદ્ય પદાર્થ ખવડાવવાથી રાહુ કેતુ શાંત થઈને શુભ ફળ આપે છે. 
 
- ભોજનમાં અડદની દાળ, ગોળ, તલના પકવાન, ગળી પુરીઓ વગેરે બનાવીને શનિદેવને ભોગ લગાવો અને ગાય કૂતરાને ખવડાવો.  ખુદ પ્રસાદના રૂપમાં પરિવાર સહિત આરોગો અને પ્રસાદમાં રૂપમાં વહેંચો.  
 
 
- સાત શનિવાર સુધી શનિના દિવસે કે શનિના નક્ષત્રથી શરૂઆત કરીને કાળી ભેંસને કાળા ચણા ખવડાવો. 
 
- દીવાળીના 5 દિવસ સુધી દેવી લક્ષ્મી સામે નવ બત્તીઓવાળા દિવાને શુદ્ધ ઘીમાં પ્રગટાવો. તરત જ કંઈક ને કંઈક લાભ થશે.