શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

તમે જાણવા માંગો છો તમારા નસીબમાં કેટલા પૈસા છે ?

કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો શ્રીમંત થઈ શકશે, આ તેની કુંડળીમાં લખેલુ હોય છે. આવો જાણીએ કે કુંડળીમાં ધન યોગને કેવી રીતે ઓળખીશુ ?

અહી અમે રજૂ કરીએ છીએ જન્મ કુંડળીના કેટલાક મુખ્ય ધન યોગ. તેમાંથી કોઈ એક યોગના હોવાથી પણ વ્યક્તિને ધનની પ્રાપ્તિ જરૂર થાય છે.

ધન યોગ - જ્યારે કુંડળીના બીજા ભાવમાં શુભ ગ્રહ બેસ્યો હોય તો જાતકની પાસે અપાર પૈસો રહે છે.

- જન્મ કુંડળીના બીજા ભાવ પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય ત્યારે પણ ભરપૂર ધનનો યોગ બને છે.

- બીજા ભાવનો સ્વામી મતલબ દ્વિતિવેશને ધનેશ માનવામાં આવે છે. તેથી તેના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો પણ વ્યક્તિને ધનની કમી નથી રહેતી.

- બીજા ભાવનો સ્વામી મતલબ દ્રિતીયેશની સાથે કોઈ શુભ ગ્રહ બેસ્યો હોય તો પણ વ્યક્તિની પાસે ખૂબ પૈસા હોય છે.

- જ્યારે બૃહસ્પતિ મતલબ ગુરૂ કુંડળીમાં કેન્દ્ર સ્થાને હોય.

- બુધ પર ગુરૂની પૂર્ણ દ્રષ્ટિ હોય

- ગુરૂ લાભ ભાવ (અગિયારમાં ભાવ)માં હોય

- દ્વિતિએશ ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્રમાં બેસ્યો હોય

- લગ્નેશ લગ્ન સ્થાનનો સ્વામી જ્યા બેસ્યો હોય, તેનાથી બીજા ભાવનો સ્વામી ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્રમાં બેસ્યો હોય.

- ધનેશ અને લાભેશ ઉચ્ચ રાશિગત હોય

- ચંદ્રમાં અને ગુરૂની કોઈ શુભ ભાવમાં યુતિ હોય

- ગુરૂ ધનેશમાં થઈને મંગળની સાથે હોય

- ચંદ્ર અને મંગળ બંને એકસાથે કેન્દ્રમાં હોય

- ચંદ્ર અને મંગળ બંને એકસાથે ત્રિકોણમાં હોય

-ચંદ્ર અને મંગળ બંને એકસાથે લાભમાં હોય

- લગ્નથી ત્રીજા, છઠ્ઠા, દસમાં અને અગિયારમાં ભાવમાં શુભ ગ્રહ બેસ્યા હોય

- સપ્તમેશ દશમ ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં હોય

- સપ્તમેશ દશમ ભાવમાં હોય અને દશમેશ પોતાની ઉચ્ચ રાશિમાં નવમેશની સાથે હોય.